કોરોના કાળમાં પણ કેટલાક લોકોની માનવતાએ મન મોહી લીધુ છે આવો જ એક કિસ્સો તેમને આ કોરોના પોઝિટિવ વાતાવરણમાં વિચારોથી નેગેટિવ થતા અટકાવશે.
હોસ્પિટલનું માનવતા ભર્યુ કાર્ય
પાર્વતી જાદવ હોસ્પિટલ નરોડામાં ફ્રી સીટી સ્કેન
30 એપ્રીલ સુધી ફ્રીમાં સેવા અપાશે
કોરોના મહામારીના બીજા વેવમાં આખો દેશ જજુમી રહ્યો છે. લોકોને સારાવાર માટે બેડ, ઓક્સીજન , ઈન્જેક્શન ટેસ્ટ કરાવવા માટે લાંભી લાઈનોમાં ઉભા રહેવુ પડે છે ત્યારે અમદાવાદની એક હોસ્પિટલમાં માનવતા ભર્યું કાર્ય કરવાનો નિર્ણય કર્યો છે. નરોડા ખાતે આવેલી પાર્વતી જાદવ હોસ્પિટલ દ્વારા માનવતા ભર્યુ કાર્ય કરવામાં આવ્યું છે.
પાર્વતી જાદવ હોસ્પિટલ દ્વારા ફ્રીમાં છાતીનું સીટી સ્કેન કરી આપવામાં આવશે. પહેલા 100 દર્દીઓને ટોકન આપીને ફ્રીમાં સીટી સ્કેન કરી આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ હોસ્પીટલમાં સામાજિક અંતર જળવાઈ રહે તે માટે એક કલાકમાં 10 દર્દીઓને જ ટોકન આપવામાં આવે છે અને તમામ દર્દીઓને અલગ અલગ સમય આપવામા આવી રહ્યો છે. જોકે 30 એપ્રીલ સુધી આ સેવાનુ કાર્ય હોસ્પીટલ દ્વારા ચાલુ રાખવામાં આવ્યુ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગઈકાલે 24 કલાકમાં ગુજરાતમાં 14097 નવા કેસ સામે આવ્યા છે જ્યારે લોકોના નિધન થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે અને દૈનિક કેસના આંકડાઓમાં ઉછાળો રોકાવાનું નામ લેતો નથી. કોરોના વાયરસના કારણે 152ના મોત થયા છે.
લોકો કોરોના સામે જીતી પણ રહ્યા છે
જોકે રાહતની વાત કહી શકાય કે એક દિવસમાં 6479 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો પણ છે અને 1,69,366 લોકોને એક દિવસમાં રસી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે રિકવરી રેટ 76.38 ટકા છે.
શું છે અત્યારનો ચિતાર
ગુજરાતમાં આજની તારીખમાં 1,07,594 એક્ટિવ કેસ છે જેમાં 396 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં મોતનો આંકડો પણ સતત વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં આજે 152 લોકોના મોત થયા છે જેના કારણે કુલ મૃતાંક 6171 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં સૌથી વધારે ચિંતા
રાજ્યમાં કોરોના વાયરસનો સૌથી વધારે કહેર હાલમાં અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એક દિવસમાં 5617 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 25 લોકો દેવલોક પામ્યા છે. 1585 લોકોએ અમદાવાદમાં કોરોના વાયરસને હરાવ્યો છે.
સુરતમાં મોત કેમ વધારે?
સુરતમાં અમદાવાદ કરતાં ઓછા કેસ આવી રહ્યા છે પરંતુ મોત અમદાવાદ જેટલી જ થઈ રહી છે. સુરત શહેરમાં એક દિવસમાં 2321 કેસ સામે આવ્યા છે જ્યારએ 25 લોકોના મોત થયા છે.
અન્ય બે શહેરોમાં પણ એજ પરિસ્થિતિ
વડોદરામાં સતત 500થી વધારે કેસ સામે આવતા ચિંતા વધી છે. વડોદરામાં 523 નવા કેસ સામે આવ્યા છે અને 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે રાજકોટમાં 462 નવા કેસ ઉમેરાયા છે અને 8 લોકોના મોત થયા છે.