અમદાવાદમાં 83 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 5 લોકોના મોત થયા છે અને 7 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જો કે, શહેરની ડો. જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફના 100 લોકોને 60 વર્ષીય દર્દીના સંપર્કમાં આવતા ક્વોરન્ટીન કરાયો છે.
મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા
અમદાવાદના 11 વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઈન
ગઈકાલે જુહાપુરમાં પાંચ પોઝિટિવ કેસ
મંગળવારે અમદાવાદમાં 19 પોઝિટેવ કેસ નોંધાયા હતા. જો કે આજે એકપણ કોરોના પોઝિટિવ નોંધાયો નથી. અત્યાર સુધી એક જ દિવસમાં 19 કેસ નોંધાયા હોય તેવો માઠો દિવસ ગઈકાલે જ આવ્યો હતો. એક જ દિવસમાં 19 કેસ પોઝેટિવ આવ્યા હોવાની અમદાવાદમાં આ પહેલી ઘટના હતી. જો કે અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને સજ્જડ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. દર્દીના સંપર્કમાં આવેલા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. નર્સ, ડોક્ટર સહિતના સ્ટાફને કરાયા હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. હાલ દર્દીની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અમદાવાદના 11 વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઈન
બોડકદેવના દેવરાજ અને દેવપ્રીતના 70 ફ્લેટ, મક્તમપુરા અને જશોદાનગર સહિત 11 ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા છે.
અમદાવાદમાં મંગળવારે વધુ 19 નવા પોઝિટેવ કેસ નોંધાયા
નવરંગપુરામાં પીજીમાં રહેતી દિલ્હીની યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમાં બોડકદેવમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે પૈકી એક મહિલા અગાઉ કોરોનાથી મૃત્યુ પામેલા શૈલેષ ધ્રુવાના પત્ની છે. તમામ પોઝિટવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, અમદાવાદમાં અત્યાર સુધી નોંધાયેવા 83 કેસ પૈકી પહેલો કેસ કોઈ શ્રમિકને થયો છે.
જશોદાનગરનો કેસ દહેશત ફેલાવનારો
જશોદાનગરની વસાહતમાં રહેતા અને દારૂની ટેવવાળા 25 વર્ષીય યુવક છેલ્લા ઘણા સમયથી તેના ઘરે પણ આવ્યો ન હતો. તાવ આવતા કોઈ ઘરે મૂકી ગયા બાદ કોરોના ડિટેકટ થયો હતો. અત્યારસુધી તે કયાં કયાં ફર્યો અને કોને કોને મળ્યો હતો તે અંગે હવે મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો કામે લાગી છે.
જુહાપુરમાં પાંચ પોઝિટિવ
જુહાપુરામાં ત્રણ દિવસ પહેલા મસ્જિદમાંથી કવોરન્ટીનમાં લઈ ગયેલા પૈકીના પાંચ પોઝિટિવ આવ્યા છે.