ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 95 પર પહોંચી ગયો છે જેમાંથી એકલા અમદાવાદમાં જ 38 કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3ના મોત થઈ ગયા છે અને આજે એકલા અમદાવાદમાં જ 7 કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. ત્યારે મનપા દ્વારા આ દર્દીઓના લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી તબલીગી જમાતમાં ભાગ લઈને આવેલા એક વ્યક્તિના સંપર્કથી 5 જણાનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો છે.
ગુજરાતમાં કોરોના પોઝિટવ 7 લોકોની વિગતો
એક જ પરિવારના 5 લોકો આવ્યા ઝપેટમાં
દિલ્હી તબલીગી જમાતમાં જઈને આવેલા માણસે ફેલાવ્યો કોરોના
રાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ 38 અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનર એક બાદ એક પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરી રહ્યાં છે. એક એપ્રિલે 29 દર્દીઓના નામ જાહેર કર્યા બાદ આજે નોંધાયેલા 7 કોરોના દર્દીના નામ પણ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી. જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એક વ્યક્તિને કારણે પરિવાર કોરોનાની ઝપેટમાં
કાલુપુરના મલેક શાહ મસ્જિદ ખાતેનો 68 વર્ષીય વૃદ્ધ દિલ્હીના નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતની મરકઝમાં હાજરી આપી હતી. તેના સંપર્કમાં આવતા કાલુપરના એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ રહ્યા વોટ્સેઅપ નંબર કરો જાણ
જો કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક 104 અને 15503 નંબર પર જાણ કરવી. આ ઉપરાંત તમે 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકો છો.