ગુજરાતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈને કોંગ્રેસના નેતા અહેમદ પટેલે વડાપ્રધાન મોદીને ગુજરાતમાં કોરોના ટેસ્ટ થાય અને નકલી ઈન્જેક્શન મામલે પણ રજૂઆત કરતો પત્ર લખ્યો છે.
કોંગ્રેસ નેતા અહેમદ પટેલનો PM મોદીને પત્ર
ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા કરી રજૂઆત
જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર બને: અહેમદ પટેલ
કોરોના મામલે કોંગ્રેસ નેતા અહેમદ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે. અહેમદ પટેલે પત્રમાં લખ્યું કે જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર બને. સાથે જ ઈન્જેક્શનના કાળા બજારીનો પણ ઉલ્લેખ કર્યો છે.. દવા-ઈન્જેક્શનના કાળા બજાર પર પણ રોક લગાવવી જરૂરી છે. ગરીબો ઉંચા ભાવે દવા-ઈન્જેક્શન ખરીદવા મજબૂર છે. અને હોસ્પિટલમાં પ્રોટોકોલ પ્રમાણે સારવાર મળે તે પણ જરૂરી છે. ભરૂચ સહિત ગુજરાતમાં સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં કેન્દ્રની ટીમો ગુજરાતમાં મોકલવા માગણી કરી છે.
ગુજરાતમાં કેવી છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં આજે કોરોનાના 1144 કેસ નોંધાતા કુલ આંકડો 59,126 પર પહોંચ્યો છે. આજે 783 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 43,195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73.06 ટકા થયો છે. તો ચિંતાજનક બાબત એ પણ છે કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં 10,586 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
હાલ શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 291 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 207 અને સુરત જિલ્લામાં 84 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 12,514 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 218 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 8,519 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 391 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3502 એક્ટિવ કેસ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 152 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 141 અને અમદાવાદ જિલ્લામાં 11 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 26,184 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 117 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 21,133 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1590 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3461 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત
29/07/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
152
સુરત
291
વડોદરા
95
ગાંધીનગર
50
ભાવનગર
35
બનાસકાંઠા
10
આણંદ
10
રાજકોટ
80
અરવલ્લી
1
મહેસાણા
36
પંચમહાલ
10
બોટાદ
8
મહીસાગર
12
ખેડા
10
પાટણ
18
જામનગર
19
ભરૂચ
33
સાબરકાંઠા
14
ગીર સોમનાથ
8
દાહોદ
33
છોટા ઉદેપુર
2
કચ્છ
13
નર્મદા
18
દેવભૂમિ દ્વારકા
1
વલસાડ
19
નવસારી
17
જૂનાગઢ
31
પોરબંદર
14
સુરેન્દ્રનગર
31
મોરબી
28
તાપી
10
ડાંગ
1
અમરેલી
24
અન્ય રાજ્ય
10
ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)