ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વિસ્ફોટ થયો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોના વિસ્ફોટ
ગઇકાલે કોરોનાના નવા 515થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્ર્મણ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરીથી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે. ગઈકાલે કોરોનાના નવા 515થી વધુ કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા ટેસ્ટ માટે બનાવેલ ડોમમાં ફરીથી લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને પશ્વિમના વિસ્તારોમાં કોરોના ટેસ્ટને લઈને ડોમ પર કતારો જોવા મળી રહી છે.
મહત્વપૂર્ણ છે કે નેતાઓની ચૂંટણી તો પતી ગઈ પરંતુ ફરીથી એક વખત નેતાઓએ પોતાના રાજકીય સ્વાર્થના કારણે ગુજરાતની ભોળી જનતાનો જીવ જોખમમાં મૂકી દીધો છે.
ગુજરાતમાં શુક્રવારે નોંધાયા 515 નવા કેસ
શુક્રવારે કોરોનાના નવા 515 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 405 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 40 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 4413 દર્દીના કોરોનાથી થયા મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,64,969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4413 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 2858 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.33 ટકા થયો છે.
મહાનગરોમાં ફરીવાર ચિંતા વધી
કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. આજે ઘણા લાંબા સમય બાદ 500થી વધુ કેસ નોંધાતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં 113 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 101 કેસ, ગ્રામ્યમાં 9, વડોદરા શહેરમાં 90 કેસ, જ્યારે ગ્રામ્યમાં 13, રાજકોટ શહેરમાં 46 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.
દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 312 નવા મામલા સામે આવ્યા
કેન્દ્રની સાથે રાજ્યની સરકારે પણ કોરોના રસીકરણ પર ખાસ ભાર મુક્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધારે રસીકરણનો રેકોર્ડ તુટ્યો છે. જો કે આવનારી મહામારીના આંકડા એ સાબિત કરે છે કે રસી આવ્યા બાદ લોકોમાં બેદરકારી વધી છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં સંક્રમણના મામલા વધવા લાગ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 312 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 3 દર્દીઓના મોત થયા છે. અહીં પોજિટિવિટી રેટ પણ 0.53 ટકા પહોંચી ગયો છે. રાજધાનીમાં હજું સુધી 6,40, 494 કેસ આવી ચૂક્યા છે. જ્યારે આ સારવાર દરમિયાન 6, 27, 797 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ત્યારે મહામારીથી 10, 918 લોકોના જીવ ગયા છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10, 216 નવા કેસ સામે આવ્યા
જો કે મહારાષ્ટ્ર આ મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં એક દિવસમાં 10, 216 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન સંક્રમણથી 53 દર્દીઓના મોત થયા છે. જો કે 6467 લોકો આજે સ્વસ્થ થઈ ઘરે પાછા પણ ફર્યા છે. રાજ્યમાં હજું સુધી 21, 98, 399 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં 20, 55, 951 લોકો સારવાર કરાવીને ઘરે પાછા ફરી ચૂક્યા છે. જ્યારે 52, 393 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં હજું પણ 88, 838 સક્રિય મામલા છે.