ગુજરાતમાં કોરોનાના કહેરની વચ્ચે ગુજરાતમાં ગોઝારો શનિવાર ઉગ્યો હતો. વાપી અને અમરેલીમાં અકસમાતમાં 6ના મોત થઈ ગયા છે તો ગઈ કાલે મહેસાણામાં પણ ચાલી રહેલા શ્રમીકોના અકસ્માતમાં મોત થયા હતા. લોકડાઉનમાં પોતાના વતન પહોંચવા ચાલતી પકડેલા શ્રમીકો કોરોનાથી મરે કે ન મરે પણ મુશ્કેલી અને અકસ્માતથી મરી રહ્યા છે.
રેલવેના ઉચ્ચ અધિકારી તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર
ચાલતા રેલવે બ્રિજ પસાર કરતા સામેથી ગુડ્સ ટ્રેન આવતા બની દુર્ઘટના
મહેસાણામાં પણ અકસ્માત
લોકડાઉન દરમિયાન રેલવે ટ્રેક પર ચાલવું ભારે પડ્યું હતુ. વાપી પાસે દમણગંગા રેલવે બ્રિજ પર દુર્ઘટના ઘટી છે. દમણ ગંગા બ્રિજ પરથી પસાર થતી માલગાડીને અડફેટે કામદારો આવી ગયા હતા. બે કામદારોના માલ ગાડીની અડફેટે આવતા મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
રેલવેના ઉચ્ચ અધિકારી તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર
હરિદ્વારામાં પણ અકસ્માત
હરિદ્વારથી પરત ફરતા લોકોને અકસ્માત નડ્યો હતો. અમરેલીના રાજુલા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. અકસ્માતમાં મહંત લવકુશમુનિ બાપુનું નિધન થતા શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગઈકાલે મહેસાણા પાસે થયો હતો અકસ્માત
કોરોનાએ ગમે તેમ કરીને લોકોને પરેશાન કરવાનું નક્કી કરી લીધુ છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન થતાં રોજનું કમાઈને રોજનું ખાતા અને કામની જગ્યાએ જ રહેતા શ્રમીકો માટે ઉપર આભ અને નીચે ધરતી પણ ખસી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. મહેસાણા પાસે ખાંડની ટ્રકમાં બેસીને શ્રમીકો રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ટ્રક પલટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 3ના મોત થયા છે અને 6 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે.