ગુજરાતમાં 5 લોકો સાજા થઈ ગયા છે એ સારા સમાચાર છે અને 2 લોકલ ટ્રાન્સમિશનના કેસ નોંધાયા છે એ ખરાબ સમાચાર છે. કારણ કે એપ્રિલ 5 સુધીમાં ગુજરાતમાં કોરોના ગ્રસ્તનો આંકડો વધવાની શક્યતા છે. આ દરમિયાન કોરોના પોતાની પિકઅપ વધારશે એટલે જ ઘરની બહાર ન નીકળવા તાકીદ આપવામાં આવી છે. આ અંગે આરોગ્ય સચિવલ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતીઓ એ હવે ગંભીર થવાની જરૂર છે.
આજે કોરોનાના વધુ બે કેસ, બંને કેસ લોકલ ટ્રાન્સમિશનના
રાજ્યમાં 73 લોકોના પોઝિટિવ રિપોર્ટ
5 લોકોને કરાયા છે ડિસ્ચાર્જ. 2 લોકો આઈસોલેશનમાં દાખલ
ગુજરાતમાં હાલની પરિસ્થિત અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપી હતી અને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યા છે. લોકલ ટ્રાન્સમિશનના 37 કેસ સામે આવ્યા છે જે ચિંતાજનક બાબત છે. જો લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તો 5 એપ્રિલ સુધી કોરના વાયરસના આંકડાનો ગ્રાફ ભયજનક પરિસ્થિતિએ પહોંચી જશે.
શું છે અપડેટ
રાજ્યમાં આજે કોરોના વધુ 2 કેસ નોંધાયા
અમદાવાદમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો વધીને 73એ પહોંચ્યો
રાજ્યમાં અત્યાર સુધી 6 લોકોના થયા છે મોત
5 લોકોને ડિસ્ચાર્જ કરાયા, 2 લોકો આઈસોલેશનમાં દાખલ
વિદેશથી આવેલા 32 લોકો, અન્ય રાજ્યથી આવેલા 4 દર્દીઓ
રાજ્યના 37 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
રાજ્યમાં 19 હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઈનમાં રખાયા છે
18087 હોમ ક્વોરન્ટાઈનમાં, 741 લોકો સરકારી ક્વોરન્ટાઈનમાં છે