ખુદ ગુજરાત સરકારે ગુજરાતના 7 જિલ્લામાં કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ હોવાની વાત સ્વીકારી છે.
હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત મુજબ
7 જિલ્લામાં કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ હોવાની વાત સ્વીકારી
જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ સ્થિતિ ગંભીર
ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે 117 લોકોના મોત થયા છે. ત્યારે હાઈકોર્ટમાં આ અંગે સુઓમોટોની અરજી થઈ જે અંગે આજે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગધનામુ રજૂ કર્યુ હતુ અને હાલ તેની સુનાવણી ચાલી રહી છે ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેમાં ખુદ ગુજરાત સરકારે ગુજરાતના 7 જિલ્લામાં કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ હોવાની વાત સ્વીકારી છે.
શું કહે છે સરકાર ?
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિ઼ડેવિટમાં ઉલ્લેખ કર્યો છે કે, રાજ્યની કોવિડ હોસ્પિટલમાં કુલ 50695 બેડમાંથી 42758 એટલે કે, 84 ટકા બેડ દર્દીઓથી ભરાયેલા છે. વળી અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ, વલસાડની હોસ્પિટલમાં દર્દી માટે જગ્યા નથી એટલે કે આ સાત જિલ્લાઓમાં તમામ બેડ હાઉસફૂલ છે.
હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત મુજબ
અમરેલી,
ખેડા,
મોરબી,
પોરબંદર,
સુરેન્દ્રનગર,
પાટણ
વલસાડ
આ સાત જિલ્લાની કોવિડ હોસ્પિટલોના તમામ એટલે કે, 100 ટકા બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જ્યારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અનુક્રમે 95, 99 અને 97 ટકા બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આમ પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.