ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. આજે કુલ 6 કેસ નોંધાયા છે જેમાંથી એકલા ભાવનગરમાંથી જ નવા 5 કેસ નોંધાયા હતા અને તેમાંથી એકનું મોત થયુ છે. જ્યારે અમદાવાદમાં એક નવો કેસ નોંધાયો છે. 69માંથી 6નું મોત થયુ છે. બચેલા 63 લોકમાંથી 2 જણા સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 69 થઈ
આજે નવા 6 કેસ નોંધાયા
આજે એકનું મોત નોંધાયુ
રાજ્યમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા
ભાવનગરમાં 5 અને અમદાવાદમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો
કોરોનાના કારણે ભાવનગરમાં 45 વર્ષીય મહિલાનું મોત થયું
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 69 થઈ
અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 23 થઈ
હાલમાં 63 લોકો સારવાર હેઠળ, 6 લોકોના મોત થયા
રાજ્યમાં બે લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા
59 લોકોની હાલત સ્થિર, 2 લોકોને આઈસોલેશનમાં રખાયા
વિદેશથી આવેલા 32 લોકોના રિપોર્ટ પોઝિટિવ
બીજા રાજ્યથી આવેલા 4 લોકોના પોઝિટિવ રિપોર્ટ
રાજ્યના 33 લોકલ લોકોના પોઝિટિવ રિપોર્ટ
શહેરવાઈઝ કેટલા કેસ
અમદાવાદ- 23 કેસ
ગાંધીનગર- 9 કેસ
વડોદરા- 9 કેસ
રાજકોટ- 9 કેસ
સુરત- 8 કેસ
ભાવનગર- 6 કેસ
ગીર સોમનાથ- 2 કેસ
મહેસાણા- 1 કેસ
પોરબંદર- 1 કેસ
કચ્છ- 1 કેસ
અમદાવાદમાં શું છે આંકડા?
અમદાવાદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 23 થઈ
અત્યાર સુધીમાં અમદાવાદમાં 3 મોત થઈ ચુક્યા છે.
ભાવનગરમાં લોકલ ટ્રાન્સમિશન કેસ નોંધાયા. નવા નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના નોધાયા છે. કન્ટોમન ઝોન અને બફર ઝોન જાહેર કરાશે.
એક જ દિવસમાં પાંચ કેસ
ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. જેમાંથી એકનું મોત થઈ ચુક્યુ છે.
શું માસ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે?
શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 વિસ્તારના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભાવનગરમાં એક દર્દીનું થઈ ચુક્યુ છે મોત
6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.