ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે. જેમાં અમદાવદામાં 31 કેસ નોંધાયા છે જેને પગલે એકલા અમદાવાદમાં જ કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 351 પર પહોંચી ગઈ છે. 26 લોકોના મોત થઈ ચુક્યા છે. આજે ગાંધીનગરથી આરોગ્ય સચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે સુધી લોકડાઉન લંબાવ્યુ છે.
ગુજરાતમાં નવા કેસ 45 નોંધાયા
એકલા અમદાવાદમાં જ 31 કેસ
ગુજરાતમાં કુલ કેસ 617
ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આજે 12 કલાકમાં ફરીથી નવા 45 કેસ નોધાયા છે જેમાંથી એકલા અમદાવાદમાં જ 31 કેસ નોંધાયા છે. તેની સાથે જ ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 351 પર પહોંચી ગઈ છે.