ભાવનગર 24 કલાકમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ થયું. ભાવનગર શહેર ના 4 અને જેસર પથક નો 1 મળી કુલ 5 કેસ પોઝિટિવ નીકળતા ગુજરાતમાં કુલ કેસનીં સંખ્યા 68 પર પહોંચી છે. અગાઉ ભાવનગરમાં એક મોત નોંધાયુ હતુ જ્યારે આજે ફરી એકનું મોત થતાં ભાવનગરમાં કોરોનાથી મોતનો આંકડો 2 ઉપર પહોંચ્યો છે અને ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો 6 પર પહોંચ્યો છે.
એક જ દિવસમાં પાંચ કેસ
શું માસ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે?
ભાવનગરમાં એક દર્દીનું થઈ ચુક્યુ છે મોત
રાજ્યમાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત
ભાવનગરના દર્દીનું સારવાર દરમિયાન મોત
ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં 45 વર્ષીય મહિલાનું મોત
અત્યાર સુધીમાં ભાવનગરમાં કોરોનાથી 2 દર્દીના મોત
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 6 લોકોના મોત
રાજ્યમાં કોરોનાના નોંધાયા છે 67 પોઝિટિવ કેસ
ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. અને એકનું મોત થઈ ગયુ છે.
શું માસ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે?
શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 વિસ્તારના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભાવનગરમાં એક દર્દીનું થઈ ચુક્યુ છે મોત
6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરાયા
એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 63 કેસો નોંધાયા હતા જ્યારે આજના ભાવનગર 5 મળીને આંકડો 68એ પહોંચી ગયો છે.
ગોંડલના ડેપ્યુટી કલેકટર રાજેશ આલ દ્વારા જણાવાયું છે કે, વિદેશથી પરત આવેલા હોય તેવા 73 વ્યક્તિઓને તથા તેઓના પરિવારને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ તરફથી આ તમામનું તબીબી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. તમામને ઘરની બહાર ન નીકળવાં સુચના અપાઇ છે. શહેરીજનોને અપીલ છે કે ઘરની બહાર ન નીકળે અને લોકડાઉનને પૂર્ણ સહકાર આપે જેથી વાઇરસથી બચી શકાય.