ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કેસ અને કોરોના વાયરસની અસર વિશે માહીતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 25 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 અને આણંદના 2 કેસ છે. અમદાવાદમાં એકનું મોત થતા મોતનો આંક 23 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં કુલ કેસ 493 પર પહોંચ્યો
અમદાવાદના 75 વર્ષના ઘોડાસરના પુરૂષનું મોત થયું
25 કેસમાં અમદાવાદમાંથી અને આણંદમાંથી નવા કેસ આવ્યા છે.
અત્યાર સુધીના 493 પોઝિટિવ કેસ છે. જેમાંથી 44 લોકોને રજા આપી દેવામાં આવી છે. 4 લોકો વેન્ટિલેટર છે.
25 નવા કેસમાં ક્યાંથી આવ્યા કેસ
અમદાવાદ 23
આણંદ 2
એકનું મોત
અમદાવાદના 75 વર્ષના ઘોડાસરના પુરૂષનું મોત થયું છે. ગઈકાલ મોડી રાતે તેમનું મોત થયુ છે.