ગુજરાત ભયજનક તબક્કામાં પ્રવેશી ગયુ છે. 16 દર્દીઓ વિદેશથી ચેપ લઈને આવ્યા હતા તેમના સંપર્કમાં આવવાથી બીજા 28 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસ 44 છે. મોત 3 છે. કુલ 824 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અને હાલ 20103 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આજથી 3જો તબક્કો શરૂ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 44
પોઝિટિવ વ્યક્તિઓમાંથી 3ના મોત
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે પ્રેસકોન્ફરન્સમાં ઝણાવ્યુ હતુ કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.
કોરોનાનો ચિંતાજનક તબક્કો શરૂ
કોરોના વાયરસના ફેલાવાનો ચિંતાજનક પડાવ શરૂ થઇ રહ્યો છે કારણ કે કોરોના પોઝિટિવ 44 દર્દીઓમાંથી ત્રીજાભાગ કરતાં વધુ એટલે કે 16 દર્દીઓને તો વિદેશથી ચેપ લઇને આવ્યાં બાદ તેના સંપર્કમાં આવવાથી વાયરસ લાગુ પડ્યો છે.
છેલ્લા 12 કલાકમાં એકપણ કેસ પોઝિટિવ નથી નોંધાયા
ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે, જ્યારે આખાં રાજ્યમાં કુલ 44 લોકો કોરોનાનો ભોગ બન્યાં છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
11 નમૂનામાંથી તમામ નેગેટિવ
11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.
ક્યાં કેટલા દર્દી
આ 44 દર્દીમાં અમદાવાદના 15, સુરતના 7, ગાંધીનગરના 7, વડોદરાના 8 અને રાજકોટના 5, કચ્છ 1 અને ભાવનગર 1નો સમાવેશ થાય છે.