ગુજરાતમાં એક પછી એક પોલીસકર્મી કોરોનાનો ભોગ બની રહ્યા છે ત્યારે તંત્ર મુંગુ મંતર બનીને સબસલામતના દાવા કરી રહ્યુ છે. તડકો છાંયડો માથે ઓડીને ફરજ નીભાવી રહેલી ખાખીની પરવાહ કોના અંડરમાં આવે છે? શું ફ્રન્ટલાઈનર કોરોના વોરિયર્સનો ખ્યાલ રાખવો એ સરકારની ફરજ નથી? કેન્દ્ર અને રાજ્ય સરકાર ફૂડ પેકેટ વિતરણ, દાનના ચેક લેવામાં મશગૂલ છે ત્યારે બંદોબસ્તમાં તૈનાત જવાનો માટે કેમ કંઈ વ્યવસ્થા નથી કરવામાં આવી? 45 પોલીસકર્મીના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.
પોલીસકર્મી કોરોનાગ્રસ્ત થાય તો કોણ જવાબદાર?
શું ફ્રન્ટલાઈનર કોરોના વોરિયર્સનો ખ્યાલ રાખવો એ સરકારની ફરજ નથી?
આ રીતે કોરોના સામે સફળતા મળશે?
રાજ્યમાં વધુ એક પોલીસકર્મી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. અમદાવાદના નિકોલમાં પોસીલકર્મીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 45 પોલીસકર્મીને કોરોના પોઝિટિવ છે. અમદાવાદમાં કુલ 35 પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ નોંધાયા છે.
ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ બની શિકાર
વલસાડ, વડોદરા ગ્રામ્ય, રેલવે પોલીસના જવાનોના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. શિકારી ખુદ યહા શિકાર હો ગયા જેવી સ્થિતિ થઈ છે. કોરોના સામે બાથ ભીજવા જતા પોલીસકર્મી ખુદ જ કોરોના ગ્રસ્ત બની જતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
લક્ષણો ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ
45 પોલીસકર્મીમાંથી માત્ર 2 કર્મચારીઓને જ કોરોના લક્ષણો દેખાયા હતા. બાકી તમામની તબિયત એકદમ સ્વસ્થ હતી તેમ છતાં તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.