ગુજરાતમાં કોરોનાએ કોહરામ મચાવ્યુ છે. આ રોગચાળાના તાંડવમાં ગુજરાતના 32 જિલ્લા ઝપેટામાં આવી ગયા છે. દ્વારકા, જૂનાગઢ અને અમરેલી કોરોનાના કહેરથી બચ્યુ હતુ પરંતુ દ્વારકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા બાદ જૂનાગઢમાં પણ કોરોનાના બે પોઝિટિવ કેસ નીકળતા હવે એક માત્ર અમરેલી કોરોનાથી બચી શક્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાના 5806 કેસ
જૂનાગઢમાં નવા બે કેસ ઉમેરાતા તંત્ર હરકતમાં
અમરેલી એકમાત્ર જિલ્લો જ્યાં કોરોનાની એન્ટ્રી બાકી
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દ્વારકા અને જૂનાગઢમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. અમરેલી હવે એક માત્ર એવો જિલ્લો બચ્યો છે જ્યાં કોરોનાનું સંક્રમણ હજી સુધી પહોંચ્યુ નથી. ગ્રીન ઝોનમાં છુટછાટ આપવાની સાથે જ કોરોના જ્યાં નહતો ત્યાં પણ પહોંચ્યો હોવાની ભીતિ સેવાઈ રહી છે. આંતર રાજ્ય અને આંતર જિલ્લામાં જવા દેવાની છુટ કોરોનાના ફેલાવામાં નિમિત્ત બની હોવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
ગ્રીન ઝોનમાં છૂટછાટના 24 કલાકમાં જ જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી
જૂનાગઢમાં જિલ્લામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ છે. ભેંસાણના ડોક્ટર અને પટ્ટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. CHC હોસ્પિટલના ડો. વેકરીયા અને પટ્ટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આખા ભેંસાણમાં સંકટનું કટક ઉતરી આવ્યુ છે. આ અંગે જૂનાગઢ કલેક્ટરે ટ્વીટ કરીને વિગત આપી હતી.
Junagadh receives two positive COVID-19 cases. A CHC doctor and his peon tested positive. Contact tracing is on. Don’t speculate and spread any rumours. Will share the further details. All the more reasons to be cautious now. #StayHomeStaySafe
— Collector Junagadh (@collectorjunag) May 5, 2020
દ્વારકામાં પણ કોરોનાનું સંક્રમણ
દ્વારકામાં બેટ દ્વારકામાં 2 કેસ અને સલાયામાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે.