કોરોના વાયરસે આખા વિશ્વને બાનમાં લીધુ છે ત્યારે અમદાવાદમાં કોરોના કાબૂમાં હોવાનો છળાવો માત્ર પુરવાર થયો હોય તેવું લાગી રહ્યુ છે. હાલ અમદાવાદમાં 254 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં વધારો
નવા 17 વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા
શહેરમાં કુલ 254 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ હેઠળ
કોરોના વાયરસે આખી દુનિયાની જાણે બાનમાં લીધી છે. અમદાવાદમાં પણ કોરોનો કેર થંભવાનું નામ નથી લેતો. સતત કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં વધારો થતાં માઇક્રોઝોન કન્ટેમન્ટે ઝોનમાં પણ વધારો થયો છે.
નવા 17 વિસ્તાર માઇક્રો કન્ટેમેન્ટ ઝોનમાં સામેલ થયા
નવા 17 વિસ્તાર માઇક્રો કન્ટેમેન્ટ ઝોનમાં સામેલ થયા છે. જેમાં બોપલના 3, ઘાટલોડિયાના 2 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે.શહેરમાં કુલ 254 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ?
રાજ્યમાં આજે કોરોનાના 1153 કેસ નોંધાતા કુલ આંકડો 61,435 પર પહોંચ્યો છે. આજે 833 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 44,907 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકાથી વધુ છે. તો આ સાથે જ એક ચિંતાજનક બાબત એવી પણ છે કે, રાજ્યમાં સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. વડોદરામાં ગત 24 કલાકમાં 94 નવા કેસ નોંધાયા છે.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓનો ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,441 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1599 દર્દીઓના મોત થયા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 16 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 35,134 દર્દીઓના મોત થયા છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 176 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 140 અને અમદાવાદ જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 26,517 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 112 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 21,364પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 11,599 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3554 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત
31/07/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
176
સુરત
284
વડોદરા
94
ગાંધીનગર
40
ભાવનગર
44
બનાસકાંઠા
14
આણંદ
11
રાજકોટ
79
અરવલ્લી
2
મહેસાણા
40
પંચમહાલ
21
બોટાદ
4
મહીસાગર
12
ખેડા
14
પાટણ
13
જામનગર
42
ભરૂચ
21
સાબરકાંઠા
11
ગીર સોમનાથ
16
દાહોદ
14
છોટા ઉદેપુર
0
કચ્છ
20
નર્મદા
9
દેવભૂમિ દ્વારકા
0
વલસાડ
26
નવસારી
16
જૂનાગઢ
20
પોરબંદર
9
સુરેન્દ્રનગર
36
મોરબી
29
તાપી
2
ડાંગ
0
અમરેલી
26
અન્ય રાજ્ય
5
ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)