ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રોજના 100 જેટલા કેસ સામે આવી રહ્યા છે ત્યારે પરપ્રાંતિયો કોરનાની ગંભીરતા સમજી નથી રહ્યા અને વારંવાર રસ્તા ઉપર ઉતરી આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સુરતમાં યુપી-બિહારના 2500થી વધુ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
સુરતમાં યુપી-બિહાર વાસીઓ બેનરો સાથે આવ્યા રોડ પર
હમ ભૂખ સે મર રહે હૈં, હમે ઘર ભેજો ખાના દોના બેનરો સાથે સુત્રોચ્ચાર
રાહત સામગ્રી કે અનાજ કીટ ન મળતી હોવાની કરી વાત
સુરતના અમરોલી ચાર રસ્તા પાસે રણછોડ નિકેતનમાં રહેતા યુપી-બિહારના લોકો આખરે મજબુર બની બેનરો સાથે રોડ પર ઉતરી આવ્યા છે. લોકડાઉન બાદ સતત આંખ આડા કાન કરતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. 'હમ ભૂખ સે મર રહે હૈ', 'હમે ઘર ભેજો', 'ખાના દો'ના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
2500થી વધારે લોકો ઉતરી આવ્યા રસ્તે
આવા એક બે નહીં પરંતુ 2500થી વધારે લોકો હોવાનું સ્થાનિક ND સાજીડે જણાવ્યું હતું. આ સમગ્ર વિસ્તાર મજૂર, નોકરિયાત વર્ગથી ભરેલો છે. પરંતુ કોઇ સામાજિક સંસ્થાઓ અહીંયા રાહત સામગ્રી કે અનાજ કીટ લઇને આવતી ન હોવાનું જણાવ્યું હતું.