ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 108 કેસ નવા નોંધાયા છે. કુલ 1851 કેસ નોંધાયા છે. 106 લોકો સાજા થયા છે. 67 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં નવા નોંધાયેલા કેસ 108
ગુજરાતમાં કુલ 1851 કેસ
અમદાવાદમાં નોંધાયેલા કેસ 91
ગુજરાતમાં આજે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં નવા કોરોના પોઝિટિવ કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, 108 નવા કેસ નોંધાયા છે. કુલ 67 લોકોના મોત થયા છે. રાજ્યમાં 106 લોકો સાજા થયા છે. 14 દર્દીઓ હાલ વેન્ટીલેટર ઉપર છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત 2-2 , મહીસાગર, મહેસાણા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1851એ પહોંચ્યો છે.14 વેન્ટિલેટર પર, 1662 લોકોની હાલત સ્થિર છે. રાજ્યમાં 106 લોકોએ કોરોનાને મહાત આપી છે .
ખાનગી હોસ્પિટલમાં પણ લઈ શકે છે સારવાર
આજથી કોરોનાના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકે છે. સ્ટર્લિગ, HCG અને નારાયણી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ શકાશે. ચાર્જ ચૂકવીને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.
ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
અમદાવાદ 91
અરવલ્લિ 6
કચ્છ 2
મહિસાગર 1
પંચમહાલ 2
રાજકોટ 2
સુરત 2
વડોદરા 1
મહેસાણા 1
કુલ 67 મોત
આજે જે 4 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદના 2 પુરુષ અને સુરતના એક પુરુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. જ્યારે જે એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તે ભાવનગરના 43 વર્ષના પુરુષ છે.
કયા વિસ્તારમાંથી આવ્યા છે પોઝિટિવ કેસ
અમદાવાદમાં ગાયકવાડ હવેલી, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા, કાલુપુર, સરસપુર, શાહપુર, શાહિબાગ, દાણિલીમડા વિસ્તામાંથી કેસ બહાર આવ્યા છે. અરવલ્લિમાં અલગ અલગ ગામમાંથી આવ્યા છે. ધનસુરા, મોડાસા, લિંબોદરા, મેઘરજ, ચેવડિયા, ધનસુરા વગેરે ગામમાંથી કેસ આવ્યા છે.કચ્છના લખપતના સાઉદીથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ છે. ભુજમાં કોન્ટેક્ટ હિસ્ટ્રીનો કેસ છે. રાજકોટ જંગલેશ્વર, વડોદરા ગજરાવાડી, વીરપુરનો એક કેસ છે.