ગુજરાતમાં ભાવનગરમાં વધુ બે કોરોનાવાયરસના પોઝિટિવ કેસ આવ્યા છે. આ બંને દર્દી દિલ્હીના નિઝામુદ્દીન, મરકજમાં તબલીગી જમાતના જલસામાં ભાગ લઈને આવેલા વૃધ્ધના સંપર્કમાં આવ્યા હતા. આ વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતુ. અગાઉ પણ આ વૃદ્ધના સંપર્કમાં આવનાર 5 જેટલા સ્થાનિક લોકો કોરોનાનો શિકાર બની ચુક્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય અથવા તો તેની આસપાસ હોય તેવા મોબાઈની સુચી બહાર પાડી છે જેમાંથી ગુજરાતના 150 નામ છે.
પાંચ નામ ઉત્તર ગુજરાતના
ત્યાર સુધીમાં 600થી વધુ જમાતિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
દિલ્હી તબલીગી જમાતમાં હાજર રહ્યા હોવાની આશંકામાં 1350 નામ ગુજરાતના
ભારતમાં લોકડાઉન છતાં તબલીગી સમાજના દિલ્હીના નિઝામુદ્દીન મરકજના જલસાએ કોરોનાને ફેલાવામાં ભાગ ભજવ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદ અને ભાવનગરમાં જમાતમાં જઈને આવેલા પોઝિટિવ વ્યક્તિઓને કારણે અન્યો પણ કોરોનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધીમાં 600થી વધુ જમાતિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેન્દ્ર સરકારે એવા મોબાઈલ લિસ્ટની યાદી બહાર પાડી છે જે એ સમયે દિલ્હી તબલીગી જમાતમાં હાજર રહ્યા હોવાની આશંકા છે. તેમાંથી 1350 નામ ગુજરાતના પણ છે.
પાંચ નામ ઉત્તર ગુજરાતના
ગુજરાતના જે લોકોના નામ આ લિસ્ટમાં છે તેમાં પાંચ નામ ઉત્તર ગુજરાતના અરવલી જિલ્લાના છે. આ સંખ્યામાં ત્રણ સીઆઈએસએફના જવાનોના છે. 1 નંબર હિતેશ પરમાર અને તેના પિતા કાંતિભાઇના નામે છે. પાંચમો નંબર જે વ્યક્તિના નામે છે તે પશ્ચિમ બંગાળથી દિલ્હી મરકજમાં ગયો અને ત્યાંથી અરવલ્લી આવ્યો હતો.
અરવલ્લીનો હિતેશ કદી ગામ બહાર પણ નથી ગયો
હિતેશ અને તેના પિતા કાંતિભાઇના નામે જે નંબર છે તેમાં ગરબડ થયાનું સામે આવ્યું છે. હકિકતમાં કાંતિભાઈનું 20 વર્ષ પહેલા અવસાન થયું હતું અને હિતેશ ક્યારેય ટ્રેનમાં બેઠો જ નથી. 29 વર્ષના હિતેશે એમ પણ કહ્યું હતું કે તેણે આ નંબરનો ઉપયોગ ઘણા સમય પહેલા બંધ કરી દીધો હતો. હિતેશ અરવલ્લીના વાત્રક ગામમાં દરજીની દુકાન ધરાવે છે. તેણે કહ્યું કે, મેં આ નંબર લગભગ એક વર્ષ પહેલાં છોડી દીધો હતો અને આ સમયે બીજો નંબર વાપરી રહ્યો છું. હિતેશે કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી મારા, મારી પત્ની અને માતા માટે કોઈ દિવસ નથી આવ્યો જ્યારે પોલીસ, આરોગ્ય કર્મચારી અને ગામના સરપંચ અમારા ઘરે આવીને પૂછપરછ કરવા આવ્યા ન હોત. તેણે કહ્યું, ‘હું આજદિન સુધી ટ્રેનમાં મુસાફરી તો બાજુની વાત છે આજ સુધી ગામની બહાર ગયો નથી.