ગુજરાતમાં કોરોના વાયરસના ઢગલો કેસ સામે આવી રહ્યા છે ત્યારે સુરતથી ઓરિસ્સા પહોંચેલા 112 શ્રમિકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. સુરતમાં પરપ્રાંતિયોને વતન મોકલવા માટે યુધ્ધના ધોરણે વ્યવસ્થા કરાઈ રહી છે તેમ છતાં જે વ્યવસ્થાના બણગા સરકાર ફૂંકી રહી છે તે ખરેખર કોઈ વ્યવસ્થા જ નથી કારણ કે, પરપ્રાંતિયોના મેડિકલ ચેકઅપ અહીં થવા હોવા છતાં તે લોકો ઓરિસ્સા પહોંચે અને ત્યાં રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.
સુરતથી ઓડિશા ગયેલા 112 શ્રમિકો કોરના સંક્રમિત
અત્યાર સુધી 18 ટ્રેન ઓડિશા માટે રવાના કરાઈ છે
300 બસોમાં શ્રમિકોને મોકલાયા છે
કોરોના વાયરસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતથી ઓરિસ્સા ગયેલા 112 શ્રમિકો કોરોના પોઝિટિવલ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 18 ટ્રેન ઓરિસ્સા માટે રવાના કરાઇ છે. જ્યારે 300 બસમાં શ્રમિકોને ઓરિસ્સા મોકલાયા છે.
સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 900ને પાર
સુરતમાં આજે કુલ 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 932 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી અત્યાર સુધી 39 દર્દીઓના મૃત્યુ થયા છે. આજે 61 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવશે. અત્યાર સુધી કુલ 527 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
સુરતમાં મહિલાઓએ કર્યો હોબાળો
સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયામાં પર પ્રાંતિય મહિલાઓએ હોબાળો મચાવ્યો. 500 જેટલી પરપ્રાંતીય મહિલાઓ ગ્રામપંચાયતમાં પહોંચી હતી. અને રાશનની માગ સાથે હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓએ સરકારી તંત્ર કે રાજકીય આગેવાનો સહાય ન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ આગેવાનોએ આશ્વાસન આપી મામલો શાંત પાડ્યો હતો અને મહિલાઓને ઘરે પરત મોકલી હતી