ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. કોરોનાવાયરસનો કહેર વર્તાવાનો શરૂ થઈ ગયો છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, છેલ્લા 24 કલાકમાં 6 કેસ નવા નોધાયા છે. કુલ 13માંથી 12 લોકો વિદેશથી આવ્યા છે.
નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે.
ગુજરાતમાં કોરોનાના કુલ 13 કેસ
છેલ્લાં 24 કલાકમાં નવા 6 કેસ
નીતિન પટેલે બરોડામાં પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે ગુજરાતમાં અત્યાર સુધી 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં નવા 6 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 7 કેસ હતાં જેમાં અમદાવાદમાં 6, બરોડામાં 4 અને રાજકોટ-સુરત અને ગાંધીનગરમાં 1-1 કેસ હતાં.
ક્યાં કેટલા કેસ છે?
અમદાવાદ માં 4 કેસ
અમદાવાદ ગ્રામ્ય 1
વડોદરા 3
સુરત 3
ગાંધીનગર 1
રાજકોટ 1 કેસ
શું કહ્યુ નીતિન પટેલે?
રાજ્યમાં જે કોરોનાના જે 13 કેસ પોઝિટિવ નોંધાયા છે.
નજીકની વ્યક્તિને ઝડપથી વાયરસ લાગુ પડે છે
આ રોગ ઝડપથી ફેલાય છેઃ નીતિન પટેલ
એક પોઝિટિવ દર્દીમાંથી આસપાસના લોકો સુધી વાયરસ પહોચે છે
લોકો બિનજરૂરી એકત્ર ન થાય તો સારૂ
મંદિરોમાં દર્શન માટે પ્રતિબંધ મુકી દીધા
મોલમાં પણ જીવનજરૂરી વસ્તુઓ જ મળશે
મોલમાંથી અન્ય વસ્તુઓ નહી મળી શકે
આવતીકાલથી તમામ મોલમાં જીવનજરૂરી વસ્તુઓ મળશે
સીનિયર સિટિજન બહાર ન નીકળે
કોરોનાને લઈને સરકાર સતર્ક
વિદેશથી આવતા લોકોથી વાયરસ ગુજરાતમાં આવ્યા
આજથી વિદેશી ફ્લાઈટો ભારતમાં નહી આવે
નગરિકોના સહયોગથી જ રોગ અટકી શકે છે
આવતીકાલે કોઈ બહાર ન નીકળે
SSGમાંથી બધી વિગતો મેળવી છે
વડોદરામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે
3 માંથી 2 લોકો શ્રીલંકાથી પરત ફર્યા હતા
વડોદરામાં એક વ્યક્તિ ચીનથી પરત ફર્યા હતા
24 વ્યક્તિઓને ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે
આઈસોલેશનમાં 126 જેટલા બેડની વ્યવસ્થા કરી છે
રાજ્ય સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે
લોકો આ વાયરસને હળવાશથી ન લે
આ રોગ જીવલેણ રોગ નથીઃ નીતિન પટેલ
ગઈકાલે pM સાથે વીડિયો કોન્ફરન્સ હતી
આ દેશ અને દુનિયાનુ સંકટ છે
તમામ લોકો સરકારની સૂચનાઓનુ પાલન કરો
આવતીકાલે કોઈપણ લોકો બહાર ન નીકળે
રેલ્વે, બસ તમામ વસ્તુઓ કાલે બંધ હશે
કાલે કરફ્યૂ પાળવાથી બધુ પુરુ નહી થઈ જાય
એક સુરતના વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે
12 વ્યક્તિ વિદેશી ગુજરાતીઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે
વિદેશમાં ફસાયેલા લોકોના ઘણા સંદેશાઓ આવતા હોય છે
વિદેશમાં ઘણા વિધ્યાર્થીઓ ભણવા ગયા છે
જે ફસાયેલા છે તેમને લાવવા અમે કેન્દ્ર સરકારને વિનંતિ કરી છે
વિદેશમાંથી લોકો પોતાના વતનમાં આવવા માંગે છે
તમામ બબાતો પર વિદેશ વિભાગ નજર રાખી રહ્યુ છે
ગુજરાતમાં વેન્ટિલેટર પર એક પણ દર્દી નથી
વિધાનસભામાં કોઈ મુલાકાતી આવતા નથી
વિધાનસભામાં બધા જ પ્રિકોશન લેવામાં આવે છે
અત્યાર સુધીમાં 90% રિપોર્ટ નેગેટિવ આવ્યા છે
વડોદરામાં 18 માંથી 15 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે
વિદેશીથી આવી સીધા ઘરે ગયા છે તેમની તપાસ ચાલુ છે
ગઈકાલ તા. 21 માર્ચ 2020 સુધીની પરિસ્થિતિ
અમદાવાદ
અમદાવાદમાં ન્યૂયોર્કથી આવેલી 21 વર્ષીય યુવતીને કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. સેટેલાઈટની યુવતીના સંપર્કમાં આવેલા 18 દર્દીઓ કોરોન્ટાઈન કરાયા છે. અમદાવાદમાં ઈંગ્લેડ અને દુબઈથી પરત ફરેલા યુવકને કોરોનાની પુષ્ટી થઈ છે. અમદાવાદના બોપલમાં 27 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં ફિનલેંડથી પરત ફરેલી યુવતીને પણ કોરોનાની પુષ્ટી કરવામાં આવી છે. આંબાવાડીની યુવતીને કોરોનાની પુષ્ટીથી આરોગ્ય વિભાગ અલર્ટ પર આવી ગયુ છે.
વડોદરા
વડોદરામાં સ્પેનથી પરત ફરેલા 49 વર્ષિય વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયો છે. સ્પેનથી પરત ફરેલા યુવકના સંપર્કમાં આવેલા 2 નિરીક્ષણ હેઠળ છે. વડોદરામાં 69 વર્ષીય મહિલાને પણ કોરોનાની પુષ્ટી થઈ ગઈ છે. શ્રીલંકાથી પરત ફરેલી મહિલા 12 નાગરિકોના સંપર્કમાં આવી હતી. શ્રીલંકાથી આવેલા નિઝામપુરાના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14મી માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. 56 વર્ષીય દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
સુરત
સુરતમાં 21 વર્ષીય લંડનથી પરત ફરેલી યુવતીને કોરોનાની પુષ્ટી થઈ છે. સુરતની યુવતીના સંપર્કમાં આવેલા 9 નાગરિકો કોન્ટાઈન કરાયા છે. રાજકોટમાં મક્કા મદીનાથી પરત ફરેલા 32 વર્ષના યુવકને કોરોનાગ્રસ્ત થયો છે.