ગુજરાતમાં તબલીગી જમાતને કારણે કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, ગુજરાતમાં કુલ 1095 જમાતીઓ ગુજરાતમાં હોવાનુ સામે આવ્યુ છે.
ભરૂચના જે 4 કોરોના પોઝિટિવ દર્દીઓ છે તે ગુજરાતના વતની નથી
12 માર્ચે તમિલનાડુના 4 લોકો ગુજરાત આવ્યા હતા
ગુજરાતમાં મુસ્લિમ ધર્મના પ્રચાર અર્થે તેઓ આવ્યા હતા
ગુજરાતમાં કુલ 1095 જમાતીઓ હોવાનું પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતુ. દિલ્હી સિવાય પણ અલગ અલગ જગ્યાએથી જમાતીઓ ધર્મપ્રચાર માટે ગુજરાત આવ્યા હતા.
ભરૂચના 4 કોરોનાપોઝિટિવ ગુજરાતના નાગરિકો નથી. આ 4 દર્દીઓ તમિલનાડુના રહેવાસી છે. આ 4 દર્દીઓ સહિત કુલ 12 લોકો તમિલનાડુથી આવ્યા હતા. જેમાથી 4ના રિપોર્ટ પોઝિટિવ અને હજુ એક શંકાસ્પદ છે. ગુજરાતમાં મુસ્લિમ ધર્મના પ્રચાર અર્થે તેઓ આવ્યા હતા.
12 માર્ચે તમિલનાડુના આ રહેવાસીઓ ભરૂચમાં આવ્યા હતા
12 માર્ચ પછી ભરૂચ સિવાય કયાં-કયાં ફર્યા તેની તપાસ થઈ રહી છે. 9 તારીખે તેમના રિપોર્ટ થતા આજે આ ચાર કોરોનાગ્રસ્ત માલૂમ પડ્યા હતા. 12 માર્ચે અંકલેશ્વર ઉતર્યા બાદ બાય રોડ ભરૂચ આવ્યા હતા. ભરૂચથી આમોદના ઈખર ગામની મસ્જિદમાં રોકાયા હતા. 24 માર્ચે તેઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.