ગુજરાતમાં કોરોનાના કહેરથી કોઈ નથી બચી શક્યુ કોરનાએ આરોગ્યકર્મી, માધ્યમકર્મી, મનપાકર્મી અને પોલીસકર્મીને પણ પોતાના સંકજામાં સપડાવ્યા છે. ગુજરાતમાં કુલ 105 પોલીસ જવાનો કોરોનાના શિકાર બન્યા છે. અમદાવાદમાં 41 જેટલા સ્થાનિક પોલીસજવાન કોરોનોનાનો ભોગ બન્યા છે.
ફ્રન્ટ વોરિયર્સ પોલીસ જવાનો પર કોરોનાનો કહેર
આજે વધુ 8 પોલીસકર્મીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ
કુલ 105 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ નોંધાયા
એક પછી એક પોલીસ જવાનો કોરોનાનો શિકાર બની રહ્યા છે. અમદાવાદમાં પોલીસ જવાનોને કોરોનાએ શિકાર બનાવ્યા છે ત્યારે આજે વધુ 8 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે જ 105 પોલીસકર્મી પોઝિટિવ નોંધાયા છે.
પોલીસ તંત્રમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા
જમાલપુર, દરિયાપુર ફરજ બજાવતા પોલીસકર્મનીને કોરોના પોઝિટિવ આવ્યા છે સાથે જ કાલુપુર, શાહપુર, ખાડિયામાં પોલીસકર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. પોલીસ તંત્રમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે.
SRP અને TRB જવાન સહિતના કર્મચારી કોરોનાની ઝપેટમાં
અમદાવાદ પોલીસમાં 41 સ્થાનિક પોલીસ જવાનોને કોરોનાનો શિકાર બન્યા છે. એ સિવાય SRP અને TRB જવાન સહિતના કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.