ગુજરાતમાં કોરોના વાયરસના 766 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 34 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 64 લોકો સાજા થઈ ચુક્યા છે. એવામાં બોટાદથી ખરાબ સમાચાર આવ્યા છે. બોટાદમાં કોરનાના દર્દીનું મોત થયુ છે.
ગુજરાતમાં દિવસેને દિવસે હાલત કફોડી
દર્દીઓની સંખ્યા અને સાથે સાથે મૃત્યુ દર પણ વધી રહ્યો છે
બોટાદમાં કોરોના દર્દીનુ મોત થયુ
બોટાદમાં મોડી રાત્રે સારવાર દરમિયાન કોરોનાન દર્દીનું મોત થયું છે. ગઈકાલે વોરાવાડના વૃદ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધને સારવાર માટે સાળંગપુર હોસ્પિટલ ખસેડાયા હતા. બોટાદમાં પ્રથમ આવેલા કોરોનાના દર્દીનું મોત છે. વૃદ્ધના પરિવાર જનોના સેમ્પલ ગઈકાલે લેવાયા છે. બોટાદ જિલ્લા કલેક્ટરે વૃદ્ધના મોત અંગેની પુષ્ટિ કરી છે.
કોરોનાથી રાજ્યમાં કુલ 34 વ્યક્તિના મોત થયા
અમદાવાદમાં 16,
વડોદરામાં 5,
કચ્છમાં 1
સુરત 5,
ભાવનગર 3,
પાટણમાં 1
ગાંધીનગર 1,
જામનગર 1,
પંચમહાલમાં 1
ક્યાં કેટલા સાજા થયા
રાજ્યમાં કોરોના પોઝિટિવ બાદ કુલ 64 લોકો સાજા થયા છે. જેમાં અમદાવાદ 17, વડોદરા 7, પાટણમાં 4 લોકો સાજા થયા જ્યારે સુરતમાં 9, ભાવનગર 7, રાજકોટમાં 8 લોકો સાજા થયા અને ગાંધીનગર 8, પોરબંદરમાં 3, ગીરસોમનાથમાં 1 વ્યક્તિ સાજી થઈ છે.