ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યા છે ત્યારે હવે પાટનગર ગાંધીનગરમાં કોરોના ગાઈડલાઈન મુજબ અગ્નિસંસ્કારના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
ગાંધીનગરમાં વકરતો જતો કોરોના
5 દિવસમાં કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિ સંસ્કાર વધ્યા
45 લોકોના કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિ સંસ્કાર
રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનો કહેર વધ્યો છે. એવામાં ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 5 દિવસમાં 45 લોકોના કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં કોરોનાના અત્યાર સુધી 5 હજાર 841 નવા કેસ નોંધાયા છે. વધતા કોરોનાના કેસને પગલે પોલીસ પણ ફૂટ પેટ્રોલિંગ કરશે અને નાગરિકોને જાગૃત કરવા કવાયત હાથ ધરશે.
છેલ્લાં 96 કલાકમાં 45 લોકોના મોત નીપજ્યાં
સેકટર 30 સ્મશાન ગૃહના ડેટા આવ્યા સામે
5 દિવસમાં કોરોના પ્રોટોકોલ સાથે 45 અગ્નિ સંસ્કાર
જિલ્લામાં અત્યાર સુધી 5841 કેસ નોંધાયા
16 નવેમ્બરે 12 અગ્નિ સંસ્કાર કરાયા હતા
17 નવેમ્બરે 16 અગ્નિ સંસ્કાર કરાયા હતા
18 નવેમ્બરે 8 અગ્નિ સંસ્કાર કરાયા હતા
19 નવેમ્બરે 9 અગ્નિ સંસ્કાર કરાયા
આજે પણ કોરોના પ્રોટોકોલ સાથે એક અગ્નિ સંસ્કાર કરાયા