અમદાવાદ સિવિલમાં દિવાળી માઠા સમાચાર લાવી છે. કોરોનાના ઈમરજન્સી દર્દીઓની વણઝાર લાગી છે. તાબડતોડ 3 નવા વોર્ડ ખોલવા પડ્યા છે.
સિવિલમાં કોરોના કેસોનો વધારો
વધતા કેસને લઇ ડો. રાકેશ જોશીનું નિવેદન
કોરોનાના સિરિયસ 91 દર્દી નોંધાયા-રાકેશ જોશી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં વધારો
વધતા જતા કેસને લઇને ડો. રાકેશ જોશીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, કોરોનાના ગંભીર 91 દર્દી નોંધાયા છે. જ્યારે સિવિલમાં કોરોનાના 134 દર્દીમાંથી 91 દર્દીની હાલત ગંભીર છે. દિવાળીમાં સિવિલમાં અડધી રાતે વધુ એક નવો વોર્ડ ખોલાયો હતો જ્યારે કાળીચૌદસની રાતે 2 વોર્ડ ખોલવા પડ્યા હતા એમ સિવિલમાં કુલ 3 નવા વોર્ડ ખોલવાની ફરજ પડી છે જ્યારે સિવિલમાં આઇ.સી.યુની બે વિંગ ફૂલ છે. સિવિલમાં આઇ.સી.યુ વોર્ડ બે દિવસમાં ફૂલ થઇ શકે છે.
શું છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ?
ગુજરાતમાં આજે કોરોનાના કેસ ફરી એક હજારને પાર પહોંચી ગયો છે. એક દિવસમાં કોરોનાના 1 હજાર 124 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી એક દિવસમાં 995 લોકો સ્વસ્થ થયા. ગુજરાતમાં કોરોનાથી એક દિવસમાં 6 લોકોના મૃત્યુ થયા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 હજાર 797 છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 12 હજાર 512 છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 1 લાખ 87 હજાર 240 છે. હાલ રાજ્યમાં 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 1,70,931 દર્દીઓ સાજા થયા છે.