ચીનમાં કોરોના વાઇરસને લઇ વિદ્યાર્થી ભારત પરત ફરશે. 19 વિદ્યાર્થીઓ 31 જાન્યુઆરીએ બનાસકાંઠા પહોંચશે. કોરોના વાયરસને લઇ બનાસકાંઠાનુ તંત્ર સજ્જ થયું છે. પાલનપુર સિવિલમાં ઇમરજન્સી આઇસુલેશન વોડ ઉભો કરવામાં આવ્યો છે. આથી તમામ વિદ્યાર્થીઓનુ મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ સહિત ડોકટરો ખડેપગે રહેશે. આ તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તાવ, શરદી, ખાંસી ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.
ચીનથી વિદ્યાર્થીઓ ભારત પરત ફરશે
19 વિદ્યાર્થીઓ 31 જાન્યુઆરીએ પહોંચશે બનાસકાંઠા
કોરોના વાયરસને લઇ બનાસકાંઠાનુ તંત્ર સજ્જ
તમામ વિદ્યાર્થીઓનુ કરાશે મેડીકલ ચેકઅપ
ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતના કેટલા વિધાર્થીઓ અભ્યાસ અર્થ ગયેલ હોવાથી પરિવારજનો ચિંતા માં મુકાયા છે જેમાં વિધાર્થીઓ સહી સલામત પરત સ્વદેશ ફરે તે માટે સરકાર પાસે પરિવારજનો માંગણી કરી રહા છે જેમાં બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના પણ વિધાર્થીઓ ચાઈના હોવાથી વિધાર્થીઓને પરત લાવવા માટે પરિવારજનો દ્વારા સરકાર સમક્ષ મદદની માંગ કરાઈ રહી છે.
ગુજરાતી વિદ્યાર્થીઓની ચીનમાં કફોડી હાલત
મૂળ દિયોદર શહેરમાં રહેતા આ છે સંજયભાઈ ત્રિવેદી સંજય ભાઈ ત્રિવેદીનો પુત્ર નીકુજ ત્રિવેદી ચાઈના ના હેંજાઉસીટી જેજિયાંગ એરિયામાં રહે છે અને એમબીબી એસમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહો છે જેમાં તે વિસ્તારમાં કોરોના નામનો વાયરસ ફેલાતા નીકુજ તેમના અન્ય ગુજરાતી મિત્રો સાથે બહાર નીકળી શકતા નથી જેના કારણે બનાસકાંઠા સહિત ગુજરાતના વિધાર્થીઓની હાલત કફોડી બની છે.
પરિવારજનો માંગી રહ્યા છે સરકારની મદદ
ગુજરાતી વિધાર્થીઓ સહિત નિકુંજ ચાઈનામાં ફસાતા નીકુજના પરિવારજનો નીકુજની સતત ચિંતા કરી રહા છે અને સતત વિડીયો કોલ દ્વારા તેની સાથે વાત કરી રહા છે ત્યારે નીકુજ ફરીથી ટીકીટ લઈને તેમના મિત્રો સાથે 31 તારીખ ના રોજ પરત ફરતો હોવાથી ચીન એરપોટ ઉપર પરેશાન કરવામાંના આવે તે માટે પરિવારજનો એ સરકાર પાસે મદદની અપીલ કરી છે
વિદ્યાર્થીઓને ખાવા-પિવાના ફાંફા પડ્યા
કોરોના વાઇરસના કારણે ચાઈનામાં હડકમ્પ મચી ગયો છે ત્યારે ગુજરાત સહિત બનાસકાંઠાના વિધાર્થીઓ ખૂબ જ ડરી ગયા છે તો બીજી બાજુ વિધાર્થીઓને ખાવા પીવાનો સામાન પણ મળતો ન હોવાથી વિધાર્થીઓની મુસીબતોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ વિધાર્થીઓના પરિવારજનો સતત ચિંતામાં મુકાઈ રહ્યા છે ત્યારે સરકાર જલ્દીથી વિધાર્થીઓની મદદ કરીને તેમને પરત લાવે તે જરૂરી છે