ભૂલો નેતાઓ કરે છે અને પરિણામ સામાન્ય માણસોએ ભોગવવાના. આ તે કેવો ન્યાય?
ભરૂચ AIMIMની જાહેરસભામાં કોરોના ભુલાયો
AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા જ ભાન ભૂલ્ય
સભામાં લોકોએ માસ્ક અને નિયમોના ધજાગરા ઉડાવ્યા
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ગઈ. અને હવે નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યાં ચૂંટણી સભાઓ પણ ગજવાઈ રહી છે. તેવામાં ભરૂચમાં AIMIMની જાહેરસભામાં કોરોનાના તમામ નિયમોને નેવે મુકી દીધા. ખુદ AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ માસ્ક વિના દેખાયા. તેમની સાથે બેઠેલા નેતાઓના માસ્ક પણ ગાયબ હતા. તો કાર્યકરો અને સભામાં આવેલા લોકોમાંથી એક પણ વ્યક્તિના ચહેરા પર માસ્ક ન દેખાયું.
ચૂંટણી આડે આ નેતાઓે કંઈ દેખાતું જ નથી. ભાન ભૂલી ગયા છે. બસ ચૂંટણી જીતવામાં જ રસ છે. ચૂંટણી સભાઓ દ્વારા કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ તંત્રએ પણ આંખ આડા કાન કર્યા છે. જે પોલીસ જનતાને દંડવામાં જરા પાછી નથી હટતી. તે જ પોલીસ આ નેતાઓ સામે મૌન ધારણ કરી લે છે. સવાલ એ જ છે કે શું નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શું નેતાઓ દંડાશે?