ગુજરાતમાં કોરોનાના કેસમાં અમદાવાદ હાલ નેશનલ લેવલે હેડલાઈનમાં ચમકી રહ્યુ છે ત્યારે મેયર બીજલ પટેલ સહિત જ્યાં મોટા મોટા અધિકારીઓ અને ટોપ ક્લાસના લોકો રહેવાનું પસંદ કરે છે એવા પોશ વિસ્તારમાં કોરના વિસ્ફોટ થયો છે. અમદાવાદના મ.ઝોન, દ.ઝોનને ઘમરોળ્યા બાદ હવે કોરોના પોશ વિસ્તારને ઘમરોળવા પ્રયાણ કર્યુ છે. મેયરના 5 જૂનના વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજર નારણપુરાના કોર્પોરેટ અને તેમના પરિવારના અન્ય 2 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે હજુ મેંગો મેળામાંથી પણ કેરી સાથે કોરોના વહેંચાયો હશે કે નહીં એ પ્રશ્ન પ્રજા પુછી રહી છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના વિસ્ફોટ
અમદાવાદના કોર્પોરેટર કોરોના પોઝિટિવ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં કેસની સંખ્યા 500ને પાર
અમદાવાદના કોર્પોરેટર કોરોના પોઝિટિવ
અમદાવાદમાં વધુ એક ભાજપના કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો તેમના પરિવારના બીજા 2 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. મેયર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તુલસી રોપાના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હાજર હતા. મેયર મેળાવળાઓ અને કાર્યક્રમો યોજીને લોકોની હેલ્થને જોખમમાં મુકી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 302 કેસ નોંધાયા છે. તેમાંથી 38 કેસો એક્ટિવ સર્વેલન્સમાં સામે આવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફરીથી કોરોનાનો વિસ્ફોટ થયો છે. શુક્રવારે પશ્ચિમ અમદાવાદમાં નવા 106 કેસ નોંધાયા છે. તેમાંથી સૌથી વધુ 48 કેસ AMCના પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. જેમાં સરદાર પટેલ સ્ટેડિયમ, નારણપુરા, નવરંગપુરા, રાણિપ, પાલડી અને વાસણાનો સમાવેશ થાય છે. જ્યારે 29 કેસ ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી સામે આવ્યા છે. જેમાં થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા અને ગોતા સામેલ છે. આ ઉપરાંત 29 કેસો દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી સામે આવ્યા છે. જેમાં જોધપુર, વેજલપુર, મમતપુરા અને સરખેજનો સમાવેશ થાય છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના વિસ્ફોટ
ઉત્તર પશ્ચિમ ઝોનના 29 કેસોમાંથી 8 કેસ બોડકદેવ વોર્ડના કોસ્મો વિલા, હેત્વી ટાવર, અશિલા એપાર્ટમેન્ટ્સ, વૃંદનવાસ, આંબલીના ગ્રીન પાર્ક બંગલા અને પ્રકાશ સોસાયટીના છે. ગોતામાંથી પાંચ જ્યારે થલતેજમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. મહત્વનું છે કે, અમદાવાદના મોટા કન્ટેનમેન્ટ ઝોનમાં નવા કેસોની સંખ્યમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ પશ્ચિમ અમદાવાદ નવું કોરોના હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ બહુ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે. આજે એક જ દિવસમાં વધુ 327 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 22દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હોસ્પિટલોમાં કરૂણ મૃત્યુ થયા છે.આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 15962 એ પહોંચી ગઈ છે. તેમજ કુલ મૃત્યુ આંક 1139ના આંકને આંબી ગયો છે. બીજી તરફ સાજા થયેલાં 243 લોકોને જુદી જુદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં કેસની સંખ્યા 500ને પાર
શુક્રવારે અમદાવાદ ગ્રામીણ વિસ્તારોમાં 29 નવા કેસો સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 500ના આંકડાને પાર કરી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને બાદ કરતાં અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં એક વ્યક્તિ બોપલ-ઘુમા જ્યારે બીજો વિરમગામનો રહેવાસી હતો.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ક્યારે ઘટશે તેને લઈને લોકો ચિંતામાં છે કેમ કે અહીં કેસની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લા કેટલાક દિવસથી 300થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 327 કેસ નોંધાયા છે. જ્યારે 22 લોકોના મૃત્યુ થયા છે.