ગુજરાતમાં કોરોના વાયરસ મામલે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ચુક્યુ છે ત્યારે 3જી મેથી લોકડાઉન ખુલવા જઈ રહ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશર દ્વારા ડિજિટલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે 1લી મેથી, ફેરિયા, કરિયાણા,દૂધ-શાકભાજીના દુકાન, સુપરમાર્કેટ તમામ લોકોએ માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે નહિં તો 3 મહિના માટે લાયસન્સ રદ્દ કરી દેવામા આવશે અને રૂા. 50000 સુધીનો દંડ કરવામાં આવશે.
ફેરિયાઓને મફત માસ્ક અને સેનેટાઈઝર અપાશે
દૂધ-શાક, કરિયાણાની દુકાનોએ પાડવા પડશે નિમ
સુપરમાર્કેટ નિયમ નહીં પાડે તો રૂા. 50000 સુધીનો દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, શાકભાજી વેચનારા ફેરિયાઓ, દુકાનોદારો, સુપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર માટે 1 મે થી દુકાનદાર માસ્ક વગર જણાશે તો તેમને દંડ થશે અને તેમના લાયસન્સ પણ રદ્દ કરાશે. ફેરિયાનું લાયસન્સ 3 મહિના રદ્દ કરાશે અને તેમને રૂા. 2000 સુધીનો દંડ કરવામાં આવશે. કરિયાણાની માલિકો, દુધ ડેરી વગેરે દુકાનદારો જો નિયમોને ભંગ કરશે તો તેમને 5000નો દંડ અને સોપ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટનું લાયસન્સ 3 મહિના માટે રદ્દ કરાશે. સુપરમાર્કેટ 50000નો દંડ થશે અને 3 મહિના સુધી લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
મફત માસ્ક અને મફત હેન્ડ સેનેટાઈઝર આપવામાં આવશે
115 સુપર સ્પ્રેડર્સની સારવાર કરવામાં આવી રહી છે. શાકભાજી વેચનારા પણ કડકથી નિયમોનું પાલન કરે એ માટે તેમને મફત માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવશે. મહિલા સહસહાય જૂથ પાસેથી કોટનના માસ્ક તૈયાર કરાવવા અને આ માસ્કનું વિતરણ અને વેચાણ સરળતાથી થાય એટલે AMC યુસિજી ગૃપ દ્વારા 3.5 લાખ માસ્ક રેડી કરાયા છે. શાકભાજી વેચનારા લોકોને મફત માસ્ક અને મફત હેન્ડ સેનેટાઈઝર આપવામાં આવશે. દરેક માટે બેનર છપાવાશે જે દરેક શાકની લારી અને દુકાન પર લગાવવામાં આવશે.
3જી મે બાદ તમામ લોકો માસ્ક ફરજિયાત પહેરે
જ્યાં જ્યાં શાકભાજી ની લારી હોય ત્યાં આયોજન બદ્ધ રીતે લારી ઉભી રહેવાનું માર્કિંગ અને ગ્રાહકો માટે પણ સર્કલ કરવામાં આવશે. અમદાવાદમાં માસ્ક ફરજિયાત છે. જેમાં રૂા. 5000 સુધીનો દંડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે 3જી મે બાદ તમામ લોકો માસ્ક ફરજિયાત પહેરે, સેનેટાઈઝર રાખે અને જો તે નહીં રાખે તો તેમને દંડ કરવામાં આવશે.
આંકડાકિય માહિતી
વિજય નેહરાએ આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતુ કે, 164 કેસ નવા નોંધાયા છે. ગઈકાલથી કોરોના પોઝિટિવ કેસનો આંકડો ઘટી રહ્યો છે. ગઈ કાલે 19 લોકોના મોત એ ખુબજ ગંભીર વાત છે. તે ચિંતાજનક છે. પણ સામે લોકો સાજા પણ થઈ રહ્યા છે.
કેટલા છે એક્ટિવ કેસ?
21 લોકો સાજા થયા છે. 2140 એક્ટવ કેસ, 2114 સ્ટેબલ, 26 લોકો વેન્ટિલેટર પર છે. કુલ 24940 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દસ લાખની વસતિએ અમદાવાદ 4157નો છે. SVP 2, સિવલ 9, સમરસ 10 જણા સાજા થયા. જે લોકો કોરોના પોઝિટિવ છે તે તમામ લોકોમાંથી SVP 726, સિવિલમાં 608, hcg 15, સ્ટર્લિંગ22, ફર્ન 40, હજ હાઉસ 16, સમરસ 700 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
મધ્યઝોન 941
દક્ષિણ ઝોન 558
ઉત્તર ઝોન 195
પશ્ચિમ 195
પૂર્વ ઝોન 149
દક્ષિણ-પશ્ચિમ ઝોન 57