અમદાવાદના વસ્ત્રાલની એક શાળામાં કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતી શિક્ષીકાએ રજા માંગતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આખરે શિક્ષિકાએ પોતાની વ્યથા કહેવા વીડિયો બનાવવો પડ્યો હતો.
વસ્ત્રાલની રાજ માધવ વિધા વિહાર સ્કુલની મનમાની
કોરોનાગ્રસ્ત વિસ્તારમાં રહેતા શિક્ષિકાને નોકરી ગુમાવી પડી
પ્રિન્સિપાલ પાસે એક દિવસની રજા માંગતા નોકરીથી કાઢવામાં આવી
અમદાવાદના વસ્ત્રાલની રાજ માધવ વિદ્યા વિહાર સ્કૂલની દાદાગીરી સામે આવી છે. કોરોનાને કારણે પ્રતિબંધિત વિસ્તારમાં રહેતા શિક્ષિકાને નોકરીમાંથી કાઢી મુક્યા છે.
પ્રતિબંધિત વિસ્તારમાં રહેતા હોવાથી શિક્ષિકા સાઈમાં ખુરેશીએ એક દિવસની રજા માંગી હતી.
પ્રતિબંધિત વિસ્તારમા રહેતા હોવાથી શિક્ષિકાએ માગી હતી રજા
રજા આપ્યાના બીજા દિવસે પ્રિન્સીપાલે સ્કૂલે ન આવવા માટે જણાવ્યું હતુ. એટલું જ નહીં પરંતુ પ્રિન્સીપાલે શિક્ષિકાને ફોન કરીને બીજી નોકરી શોધી લેવા માટે જણાવ્યું હતુ. શિક્ષિકાએ આ અંગેનો વીડિયો વાયરલ કરીને પોતાની વેદના વ્યક્ત કરી છે.
સળગતા સવાલ
રાજ માધવ વિદ્યા વિહાર સ્કૂલની દાદાગીરી કયા સુધી ચાલશે?
શિક્ષિકાને કેમ સ્કૂલમાંથી કાઢી મુકાયા?
પ્રિન્સિપાલે કેમ તુઘલખી નિર્ણય લીધો?
શું પ્રિન્સિપાલને પ્રતિબંધિત વિસ્તાર હશે તો નોકરી છોડી મુકશે?