અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. આખા ભારતમાં કોરોનાથી સરેરાશ મોતમાં અમદાવાદ અવ્વલ છે ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક મેળાવળાઓ મીટિંગોમાં અમદાવાદની ભૂગોળ ભૂલી રહ્યા છે એટલું જ નહીં પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે ચર્ચાની એરણે ચઢેલા મેયર બેન ન માન્યા તે ન જ માન્ય અને હવે 5મી જૂનના તુલસી રોપા વિતરણ કાર્યક્રમ બાદ નારણપુરાના કોર્પોરેટર સાધનાબેન અને તેમના બે પરિજનો કોરોનાનો ભોગ બન્યા છે. અમદાવાદ હાલ ટોક ઓફ ધી ઈન્ડિયા છે ત્યારે શું મેયરને ગંભીરતા નહીં હોય? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
અમદાવાદમાં વધુ એક ભાજપ કોર્પોરેટરને કોરોના
મેયર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં રહ્યાં હતા હાજર
તુલસી રોપાના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર
અમદાવાદમાં વધુ એક ભાજપના કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો તેમના પરિવારના બીજા 2 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. મેયર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તુલસી રોપાના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હાજર હતા.
અમદાવાદના મેયર બિજલબેન પટેલ દ્વારાનારણપુરાના મંગલમુર્તિ એપાર્ટમેન્ટમા તુલસીરોપાનો કાર્યક્રમ યોજ્યો હતો. 31 મી મે ના રોજ AMC દ્વારા જ મંગલમુર્તિ એપાર્ટમેન્ટ ને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે સામાન્ય પ્રશ્ન થાય કે ખુદ AMCનો જ કાર્યક્રમ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કેવી રીતે યોજી શકાય? જ્યારે કે એ ઝોનમાં અવર જવર માટે પણ પરમિશન નથી. શું મેયરને નહીં ખબર હોય કે આ ઉત્સવને ઉજવણીઓ એ કયા વિસ્તારમાં કરી રહ્યા છે? આવા પ્રશ્નો મીડિયામાં ફરતા થયા હતા તેમ છતાં મેયરે કોરોનાનું વિતરણ કરી જ નાંખ્યુ.