અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. કોરોનાના ડરના કારણે લોકો સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના મોટા ભાગના બજારો પણ બંધ જોવા મળી રહ્યા છે
માણેકચોકની ચોક્સી બજાર સ્વયંભૂ બંધ
ભીડને ધ્યાને રાખી વેપારીઓનો નિર્ણય
શહેરના બજારો સ્વયંભૂ બંધ
અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. કોરોનાના ડરના કારણે લોકો સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના મોટા ભાગના બજારો પણ બંધ જોવા મળી રહ્યા છે. ત્યારે માણેકચોકનું સુપ્રસિદ્ધ ચોક્સી બજાર પણ કોરોનાના કારણે બધ રહ્યુ હતું.
માણેકચોકની ચોક્સી બજાર સ્વયંભૂ બંધ
વધેલા સંક્રમણને ધ્યાને રાખીને માણેકચોકના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે શનિ-રવિવારે માણેકચોકમાં ખરીદી માટે લોકો ઉમટતા હોય છે ત્યારે વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખીને કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કર્યો હતો.
ઈસનપુર-ઘોડાસરમાં કરાયું સ્વૈચ્છિક લોકડાઉન
અમદાવાદમાં કોરોના બેકાબૂ બની ગયો છે. કોરોનાના રોજ 2500થી વધુ કેસો સામે આવી રહ્યા છે. રોજ રોજ કોરોનાથી થતી મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
શહેરમાં બેડ,રેમડેસિવિર તથા ઓક્સિજનની પણ અછત જોવાઈ રહી છે. ત્યારે શહેરની ગંભીર સ્થિતિને જોતા ઈસનપુર-ઘોડાસરના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. શનિવાર તથા રવિવારના રોજ વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી સ્વયંભૂ બંધને સફળ બનાવવા પ્રયાસ કરશે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,9781 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 94 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2842 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 56 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1522 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 398 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 429 કેસ, જ્યારે ગ્રામ્યમાં 171 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 707 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...