અમદાવાદમાં પાન-મસાલા બજાર ખુલાતાની સાથે જ લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. ગુટખા ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોની ભારે ભીડ જોવા મળતા કાલુપુરમાં પાન-મસાલા બજાર બંધ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે બજાર બંધ કરાવ્યું છે. લોકો પર કંટ્રોલ ન રહેતા બજાર બંધ કરવામાં આવ્યું છે. જો આવી જ રીતે બજારમાં ભીડ રહેશે તો વેપારીઓને પણ બજાર ખોલવામાં રસ નથી
લોકોની ભીડ થતાં દુકાનોના શટર બંધ કરાવાયા
કન્ટેનમેંટ ઝોન હોવા છતાં પાન મસાલાના ગલ્લા ખુલ્યા હતા
કન્ટેનમેંટ ઝોનમાં પાનમસાલાની દુકાનોને નથી મંજૂરી
અમદાવાદના કાલુપુરમાં ચોખા બજાર બંધ થવા મામલે પોલીસ કમિશનરે જણાવ્યું કે લોકોની ભીડ એકઠી થતાં દુકાનોના શટર બંધ કરાવાવમાં આવ્યા હતા. કાલુપુર કન્ટેઈનમેંટ ઝોન હોવા છતાં ત્યાં પાન મસાલાના ગલ્લા ખુલ્યા હતા. કન્ટેઈનમેંટ ઝોનમાં પાન મસાલાની દુકાનોને મંજૂરી નથી હોતી તેમ છતાં પાન મસાલાના હોલસેલ વેપારીઓએ દુકાનો ખુલી હતી. જેથી નિયમોનો ભંગ કરતા માર્કેટમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે જો કન્ટેઈનમેંટ ઝોનમાં પાન મસાલાની દુકાનો ખુલશે તો કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં માધુપુરા હોલસેલ અનાજ માર્કેટ શરૂ થતા જ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા છે. અનાજ માર્કેટ શરૂ થતા જ લોકોની ભીડ જોવા મળી અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નથી કરવામાં આવી રહ્યું. સરકારે સોશિયલ ડિસ્ટન્સ સાથે માર્કેટ ચાલુ રાખવા પરવાનગી આપી છે. પરંતુ વેપારીઓ અને ગ્રાહકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરવામાં આવી રહ્યું. ત્યારે જો આ રીતે જ લોકોની ભીડ રહી અને લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ન રખાયું તો સ્થિતિ વધુ ગંભીર બની જશે.
અમદાવાદનું કાલુપુર બજાર બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોની ભીડ વધતા કાલુપુર બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કાલુપુર બજાર બંધ કરવાને લઇને વેપારી એસોસિયેશનની બેઠક યોજાઇ હતા. બેઠક બાદ દુકાન ખોલવાને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી ઓડ-ઇવન મુજબ દુકાનો ખુલશે. મહત્વનું છે કે બજાર બંધ કરાવતા વિવાદ થયો હતો. ત્યારે સવારે 8થી 4 સુધી દુકાનો ખોલવાની છૂટ આપી છે. અને વેપારી અને ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવું પડશે.