ગુજરાતમાં કોરોનાનો કહેર ત્રાટક્યો છે ત્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના પોઝિટવ લોકોના નામ સરનામાં જાહેર કરાયા છે. જેથી કોઈપણ વ્યક્તિ તેમના સંપર્કમાં આવ્યું હોય તો તે હોસ્પિટલનો સંપર્ક કરી શકે. અમદાવાદમાં કોરોનાના લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યા છે. ત્યારે પાંચ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવમાં આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 17 દિવસમાં 53 કેસ પોઝિટિવ નોંધાયા છે.
અમદાવાદમાં આજે નવા 8 કેસ
અમદાવાદમાં અત્યાર સુધીમાં 5ના મોત
5 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા
અમદાવાદ ગુજરાતમાં કોરોનાવાયરસનું એપી સેન્ટર બની ચુક્યુ છે 53 પોઝિટિવ કેસ અને 5 લોકોના મોત બાદ પણ સિલસિલો હજુ અટક્યો નથી. જો કે આ તમામ સમાચાર વચ્ચે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 5 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી શક્યા છે. અમદાવાદમાં 17 દિવસમાં 53 કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે. અમદાવાદમાં સરેરાશ 3થી વધુ લોકો કોરોના ગ્રસ્ત થાય છે.
તબલીગી સમાજનો હાથ
અમદાવાદમાં કોરોના વાયરસ ફેલાયો છે તેમાં તબલીગી જમાતમાં જઈને પરત ફરેલા લોકોની લાપરવાહી પણ જવાબદાર છે. તેમના સંપર્કમાં આવેલા લોકો કોરોનાનો ભોગ બન્યા છે.