લોકડાઉન દરમિયાન આવશ્યક સેવા બંધ કરવાનો મામલે આડે હાઈકોર્ટે અરજદારની ઝાટકણી કાઢી હતી. AMC કમિશનરના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
જાહેરહિતની અરજીમાં AMCના નિર્ણય અયોગ્ય હોવા મામલે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજીને લઇ અરજદારને ટકોર કરી હતી.
લોકડાઉન દરમિયાન આવશ્યક સેવા બંધ કરવાનો મામલો
AMC કમિશનરના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયો
જાહેરહિતની અરજીમાં AMCના નિર્ણય અયોગ્યઃઅરજદાર
ગુજરાતમાં કોરોના સંકટે માઝા મૂકી છે. ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લઇ રહ્યાં નથી. છેલ્લા 24 કલાકમાં નવા 371 કેસ નોંધાયા છે આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 12910 પહોંચી છે. જ્યારે વધુ 24 દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો છે
શું કહ્યુ ગુજરાત હાઈકોર્ટે?
AMC કમિશનરે લીધેલા નિર્ણયની ટીકા કરવાનો આ સમય નથી. કોરોનાના કપરા કાળમાં લેવાયેલા નિર્ણયને અયોગ્ય ન ગણાવો જોઈએ. કોરોના સંકટમાં આવા નિર્ણયો પરિસ્થિતિ જોઈને લેવામાં આવતા હોય છે.
શું હતો મામલો?
અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. 6 મેથી અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. નવા નિયમને 6 મેની રાત્રે 12 વાગ્યાથી અમલી બનાવવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ આદેશનો ભંગ કરશે તો તેની સામે કલમ આઈપીસીની વિવિધ કલમ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે.
તંત્રની આ જાહેરાત બાદ લોકો વસ્તુઓ લેવા ઊમટ્યાં
AMCની આ મહત્વની જાહેરાત બાદ અમદાવાદના વિસ્તારોમાં ચીજવસ્તુઓ લેવા દુકાનો પર ઉમટી પડ્યાં હતાં. આવામાં ફરી એક વખત શહેરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ ભંગ થવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જેને પગલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.