અમદાવાદમાં કાળી ચૌદસ કાળરાત્રી બનીને છે. કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને એક જ રાતમાં 100થી વધુ કોરોનાના દર્દીઓ એકલી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે.
તહેવારોની સીઝનમાં કોરોના સંક્રમણ ઘાતક બન્યુ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ
સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે 2 નવા વોર્ડ ખોલવા પડ્યા
તહેવારોની સીઝનમાં કોરોના સંક્રમણ ઘાતક બન્યુ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે 2 નવા વોર્ડ ખોલવા પડ્યા છે.
એક જ રાતમા ઇમરજન્સીમાં 100થી વધુ દર્દી નોંધાયા
દિવાળીમાં સરકારી હોસ્પિટલમાં કોરોના કેસો વધ્યા છે. એક જ રાતમા ઇમરજન્સીમાં 100થી વધુ દર્દી નોંધાયા છે. કાળી ચૌદસની ગતરાત્રે આવેલા દર્દીઓમાંથી 98 દર્દી ગંભીર છે. નવા 2 વોર્ડ ખોલી દર્દીઓને દાખલ કરવા પડ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સિરિયસ દર્દીઓની સંખ્યા વધુ છે. છેલ્લા 24 કલાકમાં સિવિલની એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે. હાલ અમદાવાદ સિવિલમાં 517 કોરોના દર્દીઓ દાખલ છે
ગઈકાલ સાંજ સુધી કોરોનાના કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1152 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,86,116 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 91.31 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 53,967 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 67,34,467 પર પહોંચ્યો છે.
1078 દર્દીઓ થયાં સાજા, 6 દર્દીઓના મોતઆજે 1078 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,69,936 પર પહોંચ્યો છે. આજે 6 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,791 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 3, ગાંધીનગરમાં 1, પાટણમાં 1 અને સુરતમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,316 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
આ જિલ્લાઓમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા
અમદાવાદમાં 185, સુરતમાં 210, વડોદરામાં 169, ગાંધીનગરમાં 136 અને રાજકોટમાં 82 દર્દીઓ સાજા થયા છે.
આ 4 મહાનગરોમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે અમદાવાદમાં 219, સુરતમાં 186, વડોદરામાં 131 અને રાજકોટમાં 133 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જોકે જામનગર, બનાસકાંઠા અને ગાંધીનગરમાં કોરોનાના કેસનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત