ગુજરાતમાં કોરનાએ 3000નો આંક પાર કર્યો છે અને અમદાવાદ 2000નો અત્યાર સુધીમાં કોરનાથી 133ના મોત થયા છે જેમાંથી 86ના મોત અમદાવાદના લોકોના થયા છે. કોરોનાના ભરડો અમદાવાદની સીટીવિસ્તારમાંથી ગ્રામ્યવિસ્તારો તરફ વળી રહ્યો છે. જેતલપુરમાં અચાનકથી જ કોરોના પોઝિટિવની સંખ્યા વધારે આવવાને કારણે તંત્ર દોડતું થઈ ગયુ છે. કોરના હોટસ્પોટ વિસ્તારમાંથી વિસ્તરી અને હવે તેના નવા સરનામાં શોધી રહ્યો છે.
અમદાવાદ જિલ્લાના જેતલપુરે તંત્રની ચિંતા વધારી
જિલ્માં નવા 25 પોઝિટિવ કેસ સામે આવ્યા
જેતલપુરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12 થઇ
અમદાવાદ જિલ્લાના જેતલપુરે તંત્રની ચિંતા વધારી છે. જેતલપુરમાં નવા 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે પણ શંકાસ્પદ લોકોના સેમ્પલનું નિરિક્ષણ થશે. જેતલપુરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12 થઇ છે. અન્ય ગામોના જેતલપુરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગ્યો છે.
જિલ્લામાં 25 કેસો સામે આવ્યા
જિલ્લામાં 25 કેસો સામે આવ્યા છે. જેતલપુરમાં શાકમાર્કેટ ખસેડ્યા બાદ કોરોનાનાં કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ અત્યંત ચિંતિત છે. નવા કેસ સામે આવવાથી હરકતમાં આવ્યું છે. કોરોના વાયરસનાં કારણે અમદાવાદમાં પણ પરિસ્થિતિ અત્યંત વિકટ બની ચૂકી છે.
ગુજરાત નંબર 2
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 256 કેસો નોંધાયા છે જેના લીધે કુલ કેસોનો આંક હવે 3071 સુધી પહોંચી ચૂક્યો છે. જયારે કોરોનાએ વધુ 6 દર્દીઓનો ભોગ લીધો છે. કોરોનાનો મૃત્યુઆંક પણ 133 થયો છે. ગુજરાત હાલ ભારતમાં કોરોનાના સંક્રમણમાં મહારાષ્ટ્રબાદ બીજા નંબરે છે.
ગુજરાતમાં અમદાવાદ તો સૌથી મોખરે
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 2003 કેસો નોઁધાઇ ચૂકયાં છે. ઘેર ઘેર સર્વેલન્સ અને ટેસ્ટિંગ છતાંય શહેરના હોટસ્પોટ વિસ્તારમાં કેસોનું પ્રમાણ સવિશેષ જોવા મળી રહ્યું છે. વધતાં કેસોને પગેલ કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને ગૃહવિભાગની ટીમો પણ ગુજરાત દોડી આવી છે.