કોરોના વાયરસના વધી રહેલા કેસને લઇ AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા અમદાવાદની મુલાકાતે છે. ત્યારે આ દરમિયાન તેઓએ કહ્યું કે વહેલી સારવારથી મૃત્યુદર ઘટાડી શકાય છે. હાલ કોરોનાને લઇ 3 બેઠકો કરાઇ છે. અને હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે મોડા દાખલ થવાથી મૃત્યુદર વધી રહ્યાં છે. સાથે જ તેઓએ કહ્યું કે ગંભીર બીમારી હોય તેને કોરોનાથી ખતરો છે. આ ઉપરાંત વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો જાગૃત રહે. અને ઇન્ફેક્શન દેખાય તો જાતે આઇસોલેટ થઇ જવું અને લક્ષણો દેખાય તો ત્વરિત તપાસ કરાવવી.
ડોક્ટર ,આર કે પટેલ, પાર્થિવ મહેતા સહિતના મોટા તબીબો બેઠકમા
દિલ્હી ડોક્ટરોની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી છે. જ્યાં તેઓએ ડો.રણદીપ ગુલેરીયા અને ડો.મનીષ સુનેજાએ રેસિડેન્ટ ડોક્ટરોને માર્ગદર્શન આપ્યું. જેમાં તેઓએ ડોક્ટર્સ અને દર્દીઓની સુરક્ષાને સૌથી વધારે મહત્વ આપવાનું કહ્યું. દિલ્હી AIIMSમાં થતી કામગીરીથી ડોક્ટરને માહિતગાર કર્યા. ICU એક ફ્લોર પર જ રાખવા અને PPE કીટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ રોગથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી પડશે. COVID-19 ના લક્ષણો જણાતા તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરી ટેસ્ટ કરાવવા માટે આગળ આવવું જોઈએ. મોટી ઉંમરના વ્યક્તિઓ અને કોમોરબીડ (comorbid) લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોનાવાયરસ થી સંક્રમિત થયાના વધુ દિવસો બાદ જ્યારે દાખલ થાય છે ત્યારે તેઓને તકલીફ વધી જાય છે એ પણ એટલું જ સત્ય છે.
ઉપરાંત એસિમ્ટોમેટીક દર્દીઓ માં પણ વાયરસ તેનો પ્રભાવ બરકરાર રાખે છે અને વ્યક્તિના શરીરમાં ઓક્સિજનો ઘટાડો થતો હોય છે, જેનો દર્દીને ઘણી વાર ખ્યાલ રહેતો નથી. તેને પગલે ન જોઈતા પરિણામો ભોગવવા પડે છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસરવા લોકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે લોકજાગૃતિ અને લોક સહકાર વિના આ જંગ જીતવી મુશ્કેલ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ, લોકડાઉનનો ચુસ્ત અમલ અને રક્ષણાત્મક પગલા અત્યંત જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું.
દિલ્હીથી ડોક્ટરોની આવેલી આ ટીમ દ્વારા કોરોનાના કહેર અંગે ગુજરાતની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અને અમદાવાદમાં વધતા જતા કેસ અને મૃત્યુદર અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ ગુજરાતની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરી અને PM મોદી અને અમિત શાહને સોંપશે. અને ગુજરાતમાં વધતા જતા કેસો અંગેની માહિતી આપશે.
રાજ્યમાં કેસો વધવાના કારણો અને તંત્રની ખામી અંગે ચર્ચા થશે. અને અગામી અઠવાડિયામાં કોરોનાને કઈ રીતે કાબૂમાં લઇ શકાય એની રણનીતિ ઘડવામાં આવશે. 17 મે બાદ લોકડાઉનમાં છૂટછાટ આપવી કે નહીં તે આ રિપોર્ટ પર નિર્ભર રહેશે.