અમદાવાદમાં કોરોનાનું આભ ફાટ્યુ છે. એક સાથે અધધ કેસ અને મોતના સમાચાર આવી રહ્યા છે
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું
અમદાવાદની સિવિલમાં બેડ ફૂલ થવાના આરે
અમદાવાદ સિવિલમાં 97% બેડ ફૂલ થયા
અમદાવાદમાં કોરોનાનું આભ ફાટ્યુ છે. એક સાથે અધધ કેસ અને મોતના સમાચાર આવી રહ્યા છે ત્યારે શહેરના 435 વિસ્તારો માઇક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ છે. જેમાં બોડકદેવમાં 120 ઘર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે અને અનિક એપાર્ટમેન્ટમાં 120 ઘર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. વસ્ત્રાપુરના કાસા વ્યોમામાં 450 ઘરોમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યુ
અમદાવાદની સિવિલમાં બેડ ફૂલ થવાના આરે છે. અસારવા સિવિલમાં 97% બેડ ફુલ થઈ ગયા છે. સોલા સિવિલમાં એકપણ બેડ ખાલી નથી.
ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેપિટલ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 117 લોકોના મોત નિપજ્યા છે આ સાથે જ 4,179 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4207 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1879 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 484 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 663 કેસ અને ગ્રામ્યમાં 98 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...