કોરોના મુદ્દે વિજય નેહરાએ ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજીને કોટ વિસ્તારમાં કનેટેન્ટમેન્ટ ઝોનમાં થઈ રહેલી કામગીરી અંગે જાણ કરી હતી. વળી સુપરસ્પ્રેડર અંગે પણ વાત કરતા હવેથી શાકભાજી વેચનારે સ્ક્રિનિંગકાર્ડ ફરજિયાત લેવું પડશે તેવું જણાવ્યું હતુ. આ સિવાય અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી દુર્ગંધનો પ્રશ્ન ઉદભવ્યો હતો તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
લોકડાઉનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે
બીજા તબક્કામાં લોકોમાં ગંભીરતા આવી હતી
આ છેલ્લો તબક્કો હોય તેવુ આપણે ઈચ્છીએ છીએ
અમદાવાદ મનપા કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, શહેરમાં ડબલિંગ રેટ 12 દિવસનો થયો છે. છેલ્લા 10 દિવસથી આપણે નિયંત્રણ લાવી શકયા છે. છેલ્લા બે દિવસથી એક્ટિવ કેસનો વધારો 6 ટકાથી નીચે ગયો. 10 દિવસથી 10 ટકાથી ઓછા કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં ધીરે ધીરે સ્થિતિ સામાન્ય બની શકે છે. કોરોનામાં એક સાથે ધરખમ વધારો થાય તો મુસીબતમાં મુકાઈશું.
AMC કમિશનર વિજય નેહરાએ કર્યો ખુલાસો
અમદાવાદમાં રાત્રે આવતી ગંધને લઇને મનપા કમિશનર વિજય નેહરાએ ખુલાસો કરતા જણાવ્યુ હતુકે, ખોડિયાર કન્ટેનર ડેપોમાં દવાનો જથ્થો સળગ્યો હતો. દવા સળગવાથી શહેરમાં રાત્રે ગંધ આવતી હતી. બે દિવસથી અમદાવાદના S.G હાઇવે, S.P રિંગ રોડ પર દુર્ગંધ આવતી હતી . સરખેજ, શેલા, બોપલ, સાઉથ બોપલ અને પ્રહલાદ નગર સુધી આ દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો મળી હતી જેને પગલે પોલ્યુશન બોર્ડને પૂછતા તેમણે દવાનો જથ્થો સળગવાનું કારણ આપ્યું હતુ. એટલુ જ નહીં પણ પોલ્યુશન બોર્ડે જણાવ્યુ હતુ કે એક બે દિવસમાં આ ગંધ બંધ થઈ જશે.
સુપર સ્પેડર્સને સ્ક્રિનિંગ કાર્ડ અપાશે
222 સુપર સ્પ્રેડર્સના કેસ પોઝિટિવ આવતા નિર્ણય લેવાયો છે. અમદાવાદના તમામ ફેરિયાઓએ સ્ક્રિનિંગ કરાવું પડશે. ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરી એક કાર્ડ અપાશે. જેમની પાસે કાર્ડ નહી હોય તે વેપાર નહી કરી શકે. સ્ક્રિનિંગ બાદ અપાયેલું કાર્ડ 7 દિવસ માન્ય રહેશે. 7 દિવસ બાદ ફરીથી સ્ક્રિનિંગ કરવાનું રહેશે. સ્ક્રિનિંગ કાર્ડ ન હોય તો નાગરિકો તેમની પાસેની વસ્તુ ન ખરીદે.
કોટવિસ્તારનું ખાસ ધ્યાન રખાશે
કોટ વિસ્તારમાં નવા ડોક્ટરની ટીમ ઉતારી છે. ત્યાના લોકોને તાત્કાલિક સારવાર મળે એટલે ત્યાં જ ટીમ બનાવવામાં આવી. 9થી સાંજે 6 વાગ્યા સુધી સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જમાલપુરમાં પ્રાઈવેટ ક્લિનિક શરૂ કરાયા છે અર્બન હેલ્થ સેન્ટર પણ કાર્યરત છે ત્યારે ફીવર ક્લિનક શરૂ કરાશે. જમાલપુરમાં છ ફીવર ક્લિનક શરૂ કરવામાં આવશે. 12 પ્રાઈવેટ ડોક્ટર ત્યાં સારવાર આપશે.
જમાલપુરમાં કરાઈ ખાસ વ્યવસ્થા
મહાજનનો વંડો
કાજીનાઢાબો
જમાલપુર પગથિયા
વસંત રજબ પોલીસ ચોકી
જમાલપુર UHC
છીપા વેલફેર હોસ્પિટલનીચે
આંકડાકિય માહિતી
અમદાવાદ જિલ્લામાં કુલ 3817 કેસ નોંધાયા જેમાંથી 46 કેસ અમદાવાદ ગ્રામ્યના છે. બાકીના કેસ અમદાવાદ શહેરના છે. હાલ 3771 કેસ અમદાવાદના છે. જેમાંથી 2955 લોકો એક્ટિવ કેસ છે. 37 કેસ વેન્ટિલેટર પર છે. 612 લોકો સાજા થયા છે.