સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રિટાયર્ડ કોન્સ્ટેબલના મૃત્યુને એક દિવસ સુધી છુપાવી રાખવાનો પરિવાર દ્વારા સિવિલ તંત્ર પર આરોપ લગાવવામાં આવ્યો છે. સિવિલમાં 60 વર્ષીય નૂરબીવી મલેકનું મોત થયા બાદ તેમના પરિજનોએ હોસ્પિટલ પર 24 કલાક સુધી દર્દીની મોતને છુપાવવાનો આરોપ લગાવ્યો છે. મલેક પરિવાર દ્વારા અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોવિડ હોસ્પિટલના ડૉક્ટર અને કર્મચારીઓ વિરુદ્ધ સોમવારે આ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
શું છે પરિવારના આક્ષેપ?
શું છે ઘટના?
વીડિયો કોલમાં પણ ન થયો મેળાપ
સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર બેદરકારીના નમૂના જોવા મળે છે. ત્યારે તાજેતરમાં પણ નિવૃત્ત મહિલા કોન્સ્ટેબલનું કોરોનાથી મોત થયુ હતુ પરંતુ પરિવારને મોડી જાણ કરાઈ હોવાની ફરિયાદ ઉઠી છે.
60 વર્ષિય નિવૃત્ત કોન્સ્ટેબલ નૂરબીવીનું સોમવારે COVID- 19 ના વોર્ડમાં મૃત્યુ થયું હતું. જો કે, તેના પરિવારના સભ્યોનો દાવો છે કે તેણીનું ઓછામાં ઓછા 24 કલાક પહેલા મોત નીપજ્યું હતુ. વોર્ડના કર્મચારીઓએ એક દિવસ માટે દર્દીને સવારથી સાંજ જમણા પડખે સુતા રાખ્યા હતા અને એવો દાવો કર્યો હતો કે નૂરબીવી સૂઈ રહ્યા છે.
શું છે પરિવારના આક્ષેપ?
નૂરબીવીની બહેન પરિવારજનોનું કહેવું છે કે, નૂરબીવી મલેક સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. તેમના પતિ અબ્દુલ રશિદ મલેક પણ એક પોલીસ અધિકારી હતા જે ફરજ પર મૃત્યુ પામ્યા હતા. નૂરબીવી રમઝાન દરમિયાન રોજા કરતી હોવાથી કમજોર પડી ગઈ હતી. તે ચાલવામાં પણ અસમર્થ હોવાથી અમે તેને જમાલપુરની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વીએસ હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ અમને ત્યાં જગ્યા ન મળી હોવાથી અમે તેને સિવિલમાં દાખલ કરી હતી. મલેકને કોરોના પોઝિટિવ હોવાની શંકાના આધારે સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ તેમને કોવિડ-19ની ફેસિલિટીમાં દાખલ કરી હતી.
વીડિયો કોલમાં પણ ન થયો મેળાપ
શનિવારે બપોરે તેમને 3 નંબરના વોર્ડમાં રાખવામાં આવ્યા હતા અને તેમના ટેસ્ટ પણ નોર્મલ આવ્યા હતા. બાદમાં કોરોના ટેસ્ટ તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા હતા. રવિવારે બપોરે સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ અમને જણાવ્યું કે તેમનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ છે. ત્યારબાદ મેં એક સ્ટાફરને વિડીયો કોલ કરવાની વિનંતી કરી હતી, જેથી તેને જોઈ શકીએ અને દિલાસો આપી શકીએ. કર્મચારીએ વિડીયો કોલ કર્યો અને પીઠનો ભાગ બતાવીને કહ્યું કે, તેઓ સુઈ રહ્યા છે.’
સોમવારે ફોન આવ્યો હવે તે નથી રહ્યા
તેમના પરિવારે વધુમાં જણાવ્યું હતુ કે, સોમવારે સવારે ફરીથી ફોન કર્યો હતો ત્યારે કર્મચારીએ નૂરબીવીને જમણા પડખે જ સુતેલી બતાવી હતી. જ્યારે તેમનો ચહેરો જોવાની જીદ કરી, ત્યારે કર્મચારીએ કહ્યું કે તેઓ સુઈ રહ્યા છે. એક કલાક પછી હોસ્પિટલના અધિકારીનો ફોન આવ્યો અને કહ્યું કે, દર્દીનું મોત નીપજ્યું છે, પરિવારને મૃતદેહ લઈ જવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ નૂરબીવીના મૃતદેહને મૂસા-એ-સુહાણ દફન સ્થળ પર લઈ ગયા હતા,