અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં 45 વર્ષીય મહિલાનું કોરોના વોર્ડમાં મૃત્યુ થયું છે. મૃત્યુ બાદ જાણ થઈ કે મહિલા કોરોના નેગેટિવ હતી.. આ મહિલાને કોઈ જ પ્રકારની તપાસ વિના જ કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 24 મેના રોજ મહિલાનું કોરોના વોર્ડમાં મૃત્યુ થયું હતું. જે મામલે મહિલાના દીકરાએ તંત્ર પર આક્ષેપ કર્યો હતો અને રિપોર્ટ કર્યા વિના જ કોરોના વોર્ડમાં એડમિટ કરવાનો આક્ષેપ કર્યો છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી
45 વર્ષીય મહિલાનું કોરોના વોર્ડમાં થયું મૃત્યુ
મૃત્યુ બાદ ખબર પડી કે મહિલા કોરોના નેગેટિવ છે
અમદાવાદમાં દૂધેશ્વર વિસ્તારની ભલાજીની ચાલીમાં 45 વર્ષના મંજૂલાબહેન વછેટા હવે દુનિયામાં નથી રહ્યા. અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવેલા આ મહિલાને શ્વાસની તકલીફ હતી. ખાનગીમાં સારવાર લીધા બાદ લક્ષણો જણાતા તેમને સિવિલ લવાયા જ્યાં તેમની સારવારને નામે બેદરકારી સિવાય કાંઈ જોવા ન મળ્યું. સિવિલમાં આ મહિલાને ડાયરેક્ટ જ કોરોના વોર્ડમાં દાખલ કરી દેવાય અને તેની સારવાર કરવામાં ન આવી જેને પરિણામે તેનું મોત થયું. અને મોત બાદ આ મહિલાનો કોરોનાનો રિપોર્ટ આવ્યો જે પોઝિટિવ નીકળ્યો છે.
25 વર્ષીય પ્રદીપ વછેટાના મંજૂલાબેનનો પુત્ર છે અને તે સિવિલતંત્રને પોતાની માતાના મોત માટે જવાબદાર ગણે છે જો સમયસર સારવાર મળી હોત તો તેમને બચાવી શકાયા હતો. પરંતુ સિવિલની રિપોર્ટ નહીં કાઢવાની નીતિ અને ધક્કે ચઢાવવાની નીતિને કારણે મહિલાનું મોત થયુ છે.
સળગતા સવાલ
સિવિલ હોસ્પિટલનું તંત્રની આંખ ક્યારે ખુલશે?
ક્યાં સુધી નિંદ્રામાં જ લોકોના જીવન સાથે રમત રમશે?
મહિલાને એડમિટ કરતા પહેલા રિપોર્ટ કેમ ન કરાયો?
રિપોર્ટ કર્યા વિનાજ દર્દીને કોરોના વોર્ડમાં કેવી રીતે એડમિટ કરી શકાય?
ક્યારેક મૃતદેહ નથી મળ તો ક્યારેક કોરોના નેગેટિવ દર્દી મૃત્યુ પામે
ક્યાં સુધી સિવિલ હોસ્પિટલની બેદરકારીથી લોકો જીવ ગુમાવતા રહેશે?
આમ જ થતું રહ્યું તો સિવિલ હોસ્પિટલ પર કોણ વિશ્વાસ કરશે?
શું બેદરકારો વિરુદ્ધ સિવિલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાશે?
મનુષ્યની જિંદગી આટલી સસ્તી થઈ ગઈ છે?