ચીન અને અમેરિકા કરતા પણ વધારે મૃત્યુ દર ધરાવતું અમદાવાદ કોરોના મામલે કાળો ઈતિહાસ રચી શકે છે. અમદાવાદના હ્દયસમા મધ્ય ઝોન ઉપર કોરોનાએ કબજો જમાવી લીધો છે. 1500 જેટલા કેસ અને 100થી વધુ મોત જોનાર કોટ વિસ્તારમાં કેમેય કરીને કોરોના કાબુમાં નથી આવી રહ્યો ત્યારે ગઈ કાલે જે 39 લોકો અમદાવાદ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા તેમની યાદી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદનો મૃત્યુદર 6.16 ટકા
ભારતનો સરેરાશ મૃત્યુદર 3.23 ટકા
અમદાવાદનો મૃત્યુદર અમેરિકા અને ચીન કરતા પણ વધુ
કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરૂ બની રહ્યુ છે. ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાએ દસ્તક દીધા હતા ત્યારેથી લઈને અત્યાર સુધીમાં છેલ્લા દસ દિવસથી કોરોનાએ રફ્તાર પકડી છે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત ઝપટે ઝડી ગયા છે ગુજરાતમાં કોરોનામાં અમદાવાદ મોખરે છે. ગઈકાલે ગુજરાતમાં 441 કેસ નોંધાયા જ્યારે 49 લોકોના રેકોર્ડબ્રેક મોત નોંધાયા જેમાંથી સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા છે.
અમદાવાદનો મૃત્યુદર ખુબ વધારે
અમદાવાદનો મૃત્યુદર 6.16 ટકા છે. રિકવરી રેટ 15 ટકા છે. ભારતનો સરેરાશ મૃત્યુદર 3.23 ટકા ગણાય છે. જ્યારે ચીનનો મૃત્યુદર 5.5 ટકા અને અમેરિકાનો 5.9 ટકા રહ્યો છે. અમદાવાદ તેનાથી પણ આગળ નિકળી ગયું છે
અમદાવાદમાં મૃત્યુદર ચિંતાજનક
અમદાવાદમાં ગઈકાલે 24 કલાકમાં 39 લોકોના મોત થઈ ચુક્યા છે અને કોરોનાના 349 કેસ નોંધાયા છે. કુલ આંકડો 4425 જ્યારે મોતનો આંકડો 273 પર પહોંચ્યો છે. આ રફ્તારથી ગુજરાતમાં કોરનાગ્રસ્તના મોત થતા રહેશે તો કોરોના અમદાવાદમાં કાળો ઈતિહાસ રચશે.