ગુજરાતમાં કોરોના સંકટમાં અમદાવાદની હાલત વધુને વધુ ગંભીર બની રહી છે. અમદાવાદમાં ગઈ કાલે 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે. અને 29 શાકભાજી વાળા તેમજ 10 કરિયાણાવાળા વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
એક દિવસમાં 466 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
ગુજરાતમાં વધુ 362 કેસ પોઝિટિવ
અમદાવાદમાં 267 કેસ પોઝિટિવ 21ના મોત
ગઈ કાલે અમદાવાદમાં 267 કેસ નવા નોંધાયા અને 21 લોકોના મૃત્યુ થયા હતા. વધુ 51 સુપર સ્પ્રેડર્સના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. જેમાં 29 શાકભાજીવાળા અને 10 કરિયાણાવાળાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. થલતેજ, ખોખરા, અસારવા અને અમરાઈવાડીના સૌથી વધુ છે. વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટી જ્યારે ઓઢવના વિમલ પાર્ક સોસાયટીમાં 3-3 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
24 કલાકમાં 21ના મોત
શહેરમાં વધુ 21 મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ ખાડિયામાં 4, દરિયાપુરમાં 3, નારણપુરામાં 2 દર્દીના મોત થયા હતા. ભૂલાભાઈ પાર્ક પાસેના અનમોલ એપોર્ટમેન્ટમાં રહેતા બે વ્યક્તિના પણ એકસાથે મોત થયા હતા. 24 દિવસની સારવાર પછી ગોમતીપુરમાં રહેતા વૃદ્ધનું મોત થયું હતું.
ક્યાં નોંધાયા કેટલા કેસ
મણિનગરમાં 19,
જમાલપુરમાં 16,
વેજલપુરમાં 10,
બોડકદેવમાં 8,
અસારવામાં 11,
અમરાઈવાડીમાં 10
નવરંગપુરામાં 6,
સરસપુરમાં 9,
શાહપુરમાં 11,
સરખેજમાં 8,
શાહીબાગમાં 6,
વિરાટનગરમાં 5,
ઈસનપુરમાં 7,
દરિયાપુરમાં 6,
ગોમતીપુરમાં 6,
દાણીલીમડા 9,
જોધપુરમાં 8,
નારણપુરામાં 3,
નવા વાડજમાં 6,
પાલડીમાં 4,
રામોલ-હાથીજણમાં 6,
ઠક્કરબાપાનગરમાં 5
ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના પોઝિટિવનાં વધુ 362 કેસો નોંધાયા છે. જ્યારે એક દિવસે 466 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ એક જ દિવસમાં કોરોના પોઝિટિવ કેસોની સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
જ્યારે એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયેલા 466 દર્દીઓની વાત કરીએ તો, અમદાવાદના 392, બનાસકાંઠામાં 3, બોટાદના 3 દર્દીઓને રજા અપાઈ છે. તેમજ દાહોદમાં 1, ગાંધીનગરમાં 12, જૂનાગઢમાં 2,મહીસાગરના 11, પાટણના 1, સાબરકાંઠાના 4, સુરતના 23 અને વડોદરાના 13 દર્દીઓને રજા આપવામાં આવી છે.