ગુજરાતમાં કોરોનાનું સંકટ ઘેરાયુ છે ત્યારે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સની એક પછી એક કોરોનાનો ભોગ બની રહ્યા છે અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વરતાવ્યો છે. અમદાવાદમાં 1039 લોકોનું કોરનાથી મોત થઈ ચુક્યુ છે ત્યારે હોસ્પિટલ સ્ટાફ અને નર્સ પણ કોરનાની ઝપેટમાં આવી રહ્યા છે પરંતુ ગઈ કાલે અમદાવાદના 10 ડોક્ટરર્સ કોરનાનો શિકાર બન્યા છે. જે ખરેખર ચિંતાજનક છે.
ગુજરાતમાં કોરોના વકર્યો, રાજ્યમાં કુલ કેસ 20,500
એક દિવસમાં 477 કેસ પોઝિટિવ
વધુ 31 દર્દીઓના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 477 પોઝિટિવ કેસ નોંધાયા. એક જ દિવસમાં વધુ 31 દર્દીઓએ કોરોના વાયરસના કારણે દમ તોડ્યો. બીજી તરફ એક દિવસમાં 321 દર્દીઓને સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ. ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોનાનો ભોગ બની રહ્યા છે.
અમદાવાદમાં 10 ડોક્ટર બન્યા કોરોનાનો ભોગ
વિસ્તાર
ડોક્ટરનું નામ
ઉમંર
નરોડા
હની અસવાની
28
મણીનગર
યોગેશ પરીખ
68
ચાંદખેડા
ચિરાગ પરમાર
30
SVP
ડો. ભક્તિ
25
SVP
શિવાંગી પટેલ
25
SVP
રાજુ બલદાણીયા
27
સુભાષબ્રીજ
ભૂપેન્દ્ર દવે
64
જોધપુર
ઋત્વિક શાહ
64
ચાંદલોડિયા
ડો. ચેતન
42
થલતેજ
જૈના પટેલ
39
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 477 કેસમાંથી અમદાવાદમાં જ 346 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત સુરતમાં 57, વડોદરામાં 35 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં હવે કુલ પોઝિટિવનો આંક 20 હજાર 574એ પહોંચી ગયો છે. જ્યારે કુલ 1 હજાર 280 લોકોના મોત થયા છે. તો કુલ 13 હજાર 964 લોકોને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતનાં રિકવરી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.