કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ બેદરકાર બેદરકાર બન્યા છે. અમદાવાદમાં માસ્ક ન પહેરવાના કેસમાં 616 ટકાનો વધારો થયો છે
15મી ઓગસ્ટે માસ્ક નિયમ ભંગના 212 કેસ નોંધાયા હતા
13 સપ્ટેમ્બરે માસ્ક નિયમ ભંગના 1520 કેસ નોંધાયા
અમદાવાદીઓએ એક મહિનામાં રૂ.1 કરોડથી વધુ દંડ ભર્યો
કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ બેદરકાર બેદરકાર બન્યા છે. અમદાવાદમાં માસ્ક ન પહેરવાના કેસમાં 616 ટકાનો વધારો થયો છે. એટલે કે અમદાવાદમાં મોટા ભાગના લોકો માસ્ક નથી પહેરતા. દંડમાં વધારા બાદ પણ લોકો માસ્કનો નિયમ નથી પાડતા.
અમદાવાદીઓએ એક મહિનામાં માસ્ક નિયમ ભંગનો એક કરોડથી વધુનો દંડ ભર્યો
અમદાવાદમાં 15મી ઓગસ્ટે માસ્ક નિયમ ભંગના 212 કેસ નોંધાયા હતા. ત્યારે 13 સપ્ટેમ્બર માસ્ક નિયમ ભંગના 1 હજાર 520 કેસ નોંધાયા છે. એટલે કે માસ્ક નિયમ ભંગના કેસમાં 616 ટકાનો વધારો થયો છે. અમદાવાદીઓએ એક મહિનામાં માસ્ક નિયમ ભંગનો એક કરોડથી વધુનો દંડ ભર્યો છે.
સવાલો ઉઠી રહ્યા છે કે સતત કેસ વધે છે છતા કેમ લોકો બેદરકાર બની રહ્યા છે?. લોકો કેમ નથી સમજતા કે માસ્ક ખુબ જરૂરી છે?. અત્યાર કોરોનાથી તમને માસ્ક જ બચાવી શકે છે લોકો સમજતા કેમ નથી?. શું અમદાવાદમાં લોકોને હવે કોરોનાનો ડર નથી?. અમદાવાદમાં લોકો માસ્ક નિયમનું પાલન કેમ નથી કરતા?.
સળગતા સવાલ
સતત કેસ વધે છે છતા કેમ લોકો બેદરકાર બની રહ્યા છે?
લોકો કેમ નથી સમજતા કે માસ્ક ખુબ જરૂરી છે?
અત્યાર કોરોનાથી તમને માસ્ક જ બચાવી શકે છે એ કેમ નથીસમજાતુ ?