કોરોના વાયરસ મહામારીની બીજી લહેરના કારણે કારોબાર પ્રભાવિત થવાના કારણે સ્પાઈસ જેટે એપ્રિલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓના પગારનો 50 ટકા ભાગ રોક્યો છે.
દેશમાં કોરોના સંકટ
સ્પાઈસ જેટ એપ્રિલ મહિનાની સેલેરીમાં કાપ્યો 50 ટકા ભાગ
પાયલટ અને ક્રૂ મેમ્બર્સ સહિતના કર્મચારીઓના પગારમાં ઘટાડો કર્યો
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે મોટું સંકટ જોવા મળી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર સ્પાઈસ જેટે પોતાના કર્મચારીઓના પગારમાં 10-50 ટકા સુધીનો કાપ મૂક્યો છે. જે કર્મચારીઓના પગાર કાપવામાં આવ્યા છે તેમાં પાયલટ અને ક્રૂ મેમ્બર્સ સહિતના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ પગારમાં કાપ એપ્રિલ મહિનામાં જ મૂકાયો છે.
અધ્યક્ષ અને સીએમડી અજય સિંહ નહીં લે પગાર
તેઓએ કહ્યું કે ડ્રાઈવર જેવા જૂનિયર કર્મચારીઓને એપ્રિલમાં સંપૂર્ણ સેલેરી આપી દેવામાં આવી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેમના અધ્યક્ષ અને સીએમડી અજય સિંહ એપ્રિલમાં કોઈ પગાર લેશે નહીં.
યાત્રીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો
કોરોના સંક્રમણની બીજી લહેરથી અનેક વિમાન કંપનીઓ પ્રભાવિત થઈ છે. હવાઈ યાત્રીઓની સંખ્યામાં મોટો ઘટાડો થવાના કારણે આ સ્થિતિ આવી છે. સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ કર્મચારીના પગારમાં ઘટાડો કરાશે નહીં. કંપની વિચાર કરી રહી છે કે ઓછા વેતનના કર્મચારીઓના પગાર ટાળવાના કારણે કોઈ તકલીફ ન આવે. આ માટે કંપની તેમને પૂરો પગાર આપશે. તેઓએ કહ્યું કે સીએમડીએ પોતાનો આખો પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આ એક અસ્થાયી ઉપાય છે અને કંપની દ્વારા રોકવામાં આવેલા પગાર સ્થિતિ સામાન્ય થયા બાદ આપવામાં આવશે.
અનેક દેશોએ ભારતની ફ્લાઈટ્સ પર લગાવી રોક
દેશમાં વધતા કોરોના સંક્રમણને લઈને દુનિયાના અનેક દેશોએ ભારતથી આવતી જતી દરેક ફ્લાઈટ પર રોક લગાવી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, યૂએઈ, હોંગકોંગ, ન્યૂઝીલેન્ડ અને કેનેડા જેવા દેશોએ પોતાના નાગરિકોને ભારતમાં યાત્રા ન કરવાની સલાહ આપી છે. નાગરિકોને કહેવાયું છે કે અત્યારના સમયમાં તે ભારત આવવા અને જવાથી બચે તે જરૂરી છે.
વિમાન કંપનીઓ નહીં વધારી શકે ભાડું
દેશની વિમાન કંપનીઓ 31 મે સુધી ભાડુ વધારી શકશે નહીં. મંત્રાલયે કહ્યું છે કે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર ભાડા કેપ 31 મે સુધી કાયમ રહેશે. કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને હવામાન મંત્રાલયે યાત્રીઓને ભારે ભાડાથી બચાવવા માટે ડોમેસ્ટિક સેવા પર કૈપ લાગૂ કર્યું હતું. આ સિવાય મંત્રાલયે 26 એપ્રિલે જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે એરલાઈન્સની ક્ષમતા 80 ટકા પર કેપ આવનારા મહિનાના અંત સુધી કાયમ રહેશે. આ આદેશ ત્યારે આવ્યો હતો જ્યારે વિમાન કંપનીઓએ સરકારની પાસેથી 60 ટકા ક્ષમતા ઘટાડાવાની અપીલ કરી હતી કેમકે કોરોનાના કારણે બુકિંગમાં પણ ઘટાડો આવ્યો હતો.