કોરોના વાયરસે રાજ્યમાં કહેર મચાવ્યો છે ત્યારે હવે રાજ્યના કેદીઓને પેરોલ પર છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં છે. સચિવ અશ્વિનીકુમારે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના સૂચનાના આધારે હવે જેલોમાંથી કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે. જેલોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે નિર્ણય કરાયો છે.
કોરોનાના કહેરને લઈને કેદીઓને લઈને લેવાયો નિર્ણય
જિલ્લા અને સબજિલ્લા લેવલે પેરોલ આપવા નિર્ણય
કેદીઓને ઈન્ટ્રીમ જામીન આપવાનો નિર્ણય કરાયો છે
રાજ્ય સરકારના સચિવે વધુમાં જણાવ્યું હતું કે, પાક્કા કામના પેરોલ અને પેરોલ માટેની યાદી તૈયાર કરી છે અને જિલ્લા અને સબજિલ્લા લેવલે પેરોલ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.
1200 કેદીઓને મળશે લાભ
કેદીઓને બે મહિના માટે વચગાળાના જામીન આપવામાં આવશે. અને જે કેદીઓને જામીન અપાશે તેનું ચેકઅપ કરાશે. 1200 જેટલા કેદીઓને સરકારના આ નિર્ણયનો લાભ મળશે.
શું છે ઈન્ટ્રીમ જામીન?
ઈન્ટ્રીમ જામીન એટલે એક અસ્થાયી સમય માટે આપવમાં આવેલ જામીન. જો કોઈ પણ અરજી પેન્ડિંગ હોય તો પણ અદાલત ત્યાં સુધી તમને જામીન આપે છે જ્યાં સુધી તે તમને આકસ્મક અથવા નિયમિત જામીન નથી મળતા. ત્યારે અદાલત તમને આ જામીન કે અધિકાર આપે છે.
રાજ્યના કેદીઓ કરી હતી ભૂખ હડતાલ
કોરોનાના કેસમાં રાજ્યોમાં જ્યાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ વચ્ચે મહેસાણામાં જેલના કેદીઓ ભુખ હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લાની બંધ જેલમાં 206 કેદીઓને કોરોના વાયરસનો ડર લાગી રહ્યો છે.
મહેસાણા જેલમાં 206 કેદીઓ ભુખ હડતાળ ઉપર ઉતરી તમામ કેદીઓ પેરોલ પર છોડવાની માગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલ મહેસાણા જેલમાં 6 બેરેકમાં 206 કેદીઓ છે. જો કે કેદીઓને કોરોનાનો ચેપ લાગવાના ભય થી પેરોલ ઉપર છોડવાની માગ કરી રહ્યાં છે.