કોરોના વાયરસથી લડવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે અને તે ઘણે અંશે લોકોની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે. એક નવા સ્ટડીમાં ખુલાસો થયો છે કે ઈમ્યૂન સિસ્ટમ કોરોના વાયરસના દર્દીઓની જિંદગી અને મોતને માટે મોટું કારણ હોઈ શકે છે. કારણકે તે દરેક દર્દીમાં અલગ અલગ રીતે કામ કરે છે.
કોરોના આ રીતે શરીર પર કરે છે અસર
ઈમ્યૂન સિસ્ટમથી કોરોનાની અસરને નાથી શકાય છે
દર્દીઓના જીવન અને મોત માટે મોટું કારણ છે ઈમ્યૂન સિસ્ટમ
જ્યારે પણ શરીર પર કોઈ વાયરસનો હુમલો થાય છે ત્યારે ઈમ્યૂન સિસ્ટમ તેનાથી લડવા માટે ટી કોશિકાઓનું નિર્માણ કરે છે. આ કોશિકાઓ મોટાભાગે 2 રૂપમાં હોય છે. એક વાયરસથી બચવાનું કામ કરે છે જેને સહાયક કોશિકાઓ કહે છે. જ્યારે અન્ય તેને મારે છે તેને કિલર કોશિકાઓ પણ કહેવાય છે. કિલર કોશિકાઓ ઝેરીલા રસાયણોની મદદથી વાયરસને મારવાનું કામ કરે છે પણ આ કામને પ્રભાવી રીતે કરવા તેને સહાયક કોશિકાઓની સાથે જ સમન્વયની જરૂર પડે છે.
સંશોધનમાં સામે આવી આ વાત
શોધકર્તાઓએ જાણ્યું કે કોરોનાના અનેક ગંભીર દર્દીઓમાં આ ટીમવર્ક જોવા મળ્યું નથી. ઈમ્યુનોટાઈપ્સમાં કેટલાક દર્દીમાં સહાયક કોશિકાઓની સંખ્યા વધારે હતી જ્યારે કિલર કોશિકાઓ દબાઈ ચૂકી હતી. તેનો અર્થ એ છે કે વાયરસના ખતરાનો અંદાજ હોવા છતાં શરીરમાં તેનાથી પ્રભાવી રીતે લડવાની કોશિકાઓ ઓછી હતી. અન્ય ઈમ્યૂનોટાઈપમાં કિલસ કોશિકાઓની સંખ્યા વધારે હોય છે એટલે કે તે વાયરસને સારી રીતે નષ્ટ કરી શકે છે. તેમાં સહાયક કોશિકાઓ ઓછી હોય છે અને તેના કારણે બંને વચ્ચે વાયરસથી લડવાની યોજના બની શકતી નથી. સ્ટડી અનુસાર અન્ય ઈમ્યુનોટાઈપમાં કોરોના વાયરસથી ગંભીર રીતે સંક્રમિત થયા બાદ પણ દર્દી કોઈ પણ રીતે જીવી જાય છે.
આ લોકોને મોતનો ખતરો વધારે રહે છે
ત્રીજા ઈમ્યૂનોટાઈપમાં એ લોકો હતા જેમના શરીર કોઈ પણ પ્રકારની પર્યાપ્ત ટી કોશિકાઓનું ઉત્પાદન કરવામાં અક્ષમ હતા. તેનો અર્થ એ કે તેમના શરીરમાં વાયરસથી લડનારી બંને આક્રમક કોશિકાઓની ખામી હતી. તેનાથી આ લોકોમાં કોરોના વાયરસથી મોતનો ખતરો વધારે રહેતો હતો. 125 દર્દીઓ પર થયેલા સંશોધનનો આ પહેલો રિપોર્ટ છે. અલગ અલગ ઈમ્યૂન સિસ્ટમ રિસ્પોન્સને સંપૂર્ણ રીતે સમજાવવું અઘરું છે પણ તેમને શંકા હતી કે આ સંક્રમણના સમયે રોગીની હેલ્થ સાથે જોડાયેલું હોઈ શકે છે.